વીજ કંપનીની સ્કીમ મુજબ રાહતનો લાભ લેવા લોકોને અપીલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
- Advertisement -
વિસાવદર સિવિલ કોર્ટમાં પીજીવીસીએલ કંપનીના અધિક્ષક ઈજનેર બી.ડી.પરમારની સૂચનાથી સિવિલ કોર્ટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સબ ડિવિઝન નંબર-(2)ના નાયબ ઈજનેર કમલ અખેણીયા દ્વારા વિસાવદર કોર્ટમાં કરશનભાઇ જીવાભાઈ વાળા તથા તેમના બે પુત્રો સામે જુદા જુદા દાવાઓ દાખલ કરવામાં આવેલ જેમાં પ્રતિવાદીઓએ પાવર ચોરીની રકમ નહિ ભરતા અને દાવા કોર્ટમાં ચાલી જતા પ્રતિવાદીઓ વિરુદ્ધ દાવામાં રકમ વ્યાજ, વકીલ ફી તથા કોર્ટ ફી સહિતની રકમ ચૂકવવા કોર્ટ આદેશ કરેલો નામદાર કોર્ટના હુકમ બાદ પણ પ્રતિવાદીઓ તરફથી કોર્ટનો હુકમ હોવા છતાં રકમ નહિ ભરતા પીજીવીસીએલ સબ ડિવિઝન નંબર (2)ની સૂચના મુજબ વિસાવદર પેનલ એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા કોર્ટમાં જુદી જુદી દરખાસ્તો દાખલ કરતા પ્રતિવાદીઓએ રકમ નહિ ભરતા અગાઉ પ્રતિવાદીઓ સામે અન્ય કામમાં કોર્ટ પકડ વોરન્ટ કાઢેલ હતું અને તેમાં પ્રતિવાદીઓને પકડી રજૂ કરતા રકમ ભરપાઈ કરી આપેલ અને તેજ પ્રતિવાદીઓ અવારનવાર પાવરચોરી કરતા પકડાઈ જતા પ્રતિવાદીઓ સામે જુદા જુદા કેસો થયેલા તેવા તમામ કેસોમાં વીજ કંપની તરફથી આવા પાવરચોરી કરતા અને રકમ નહિ ભરતા લોકો સામે લાલ આંખ કરી
રકમ વસુલ મેળવવાની કાર્યવાહીઓ કરતા પ્રતિવાદીઓ તથા તેમના તથા તેમના પિતા પાસે લેણી થતી વીજ કંપનીની લેણી રકમ પેટે રૂપિયા 2,79,316.01 પૈસાની રકમ વસુલ લેવા જુદી જુદી દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં કોર્ટના ન્યાયાધીશ એસ.એસ.ત્રિવેદી દ્વારા અધિકારીને હાજર રખાવી કંપનીની થ્રિ ટાયર સ્કીમનો લાભ આપી રૂપિયા 36,662.15 પૈસાની રકમની રાહત કરાવી આપતા એકજ પરિવાર દ્વારા એક જ દિવસે રૂપિયા 2,42,,653.86ની રકમ જમા થયેલ હતી અને આજ દિવસે આઠ કેસો પાછા ખેંચવાની અરજી વીજકપની તરફથી રજૂ કરી આ રીતે આઠ કેસનો નિકાલ કરવામાં આવેલ હતો અને ગ્રાહકોએ એકી સાથે રકમ ભરી દીધેલ છે આ કામમાં વીજ કંપની તરફથી એડવોકેટ નયનભાઈ જોશી રોકાયેલ હતા.