દીકરીઓના રક્ષણ માટે લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર: હવે રજિસ્ટ્રેશન સમયે માતા-પિતાની વિગતો આપવી પડશે ફરજિયાત
પ્રેમના નામે થતી છેતરપિંડી રોકવા ગુજરાત સરકાર એક્શનમાં
- Advertisement -
હાલમાં ફરી એકવાર કેરાલા સ્ટોરી-2 રિલીઝ થઇ છે અને ચાલી પણ રહી છે આ જ પ્રકારે બેહદ નામની ગુજરાતી ફિલ્મ પણ આવા જ વિષયને લઈને આવી છે જે અંગે ચર્ચાઓ પણ ચાલી રહે છે. ફિલ્મના રીવ્યુ માં પણ ખુલીને કેટલાય પેરેન્ટ્સને કહેતા સાંભળ્યા કે, દીકરીઓને આ ફિલ્મો બતાવો જેથી ખ્યાલ આવે કે, પ્રેમના નામે એક ખોટો ડીસીઝન તમારી જિંદગીમાં તોફાન અને તબાહી લાવી શકે છે, બરબાદીની તેવી કહાની જે તમારા જ જાતે તમારા દ્વારા લખાય છે. જેમાં આ ખોટા ડિસિઝન પછી દુનિયાનો કોઈ એક ખૂણો પણ તમને રડવા માટે નથી મળતો.જયારે પ્રેમના નામે તમે તમારો પરિવાર, તમારો ધર્મ, તમારી સરનેમ બધું છોડીને જેહાદને નામે ચાલો છો ત્યારે આરંભાય છે લવ જેહાદની એક ચળવળકારી અને બાદમાં ચિત્કાર કરતી આપવીતી કે જેનો અંત શું હોય તે તો ઉપરવાળો જ કહી શકે. જી, હા અહીં આપણે અત્યારે ચાલતી એક હિંદી અને ગુજરાતી ફિલ્મની કથાનકના અનુસંધાનમાં વાત કરીયે છીએ.પરંતુ આપણી આસપાસ આવી કોઈકને કોઈક ઘટનાઓ ઘટતી જ હોય છે.જો કે, તેના સત્તાવાર કોઈ આંકડા ઉપલબ્ધ નથી.પરંતુ જયારે કોઈપણ યુવતી પ્રેમના નામે આવેશમાં આવી કોઈ વિધર્મી સાથે ભાગીને માત-પિતા વિરુદ્ધ લગ્ન કરે છે અને પછી શરૂઆત થાય છે પ્રેમના નામે છેતરાવવાની તે ગાથા કે કોઈપણ હિંદુ યુવતી માટે અસહ્ય બની જતી હોય છે.તે જે આઝાદ જિંદગી જીવવા ટેવાયેલી હોય અને ધર્માતરણ બાદ તેને ધર્મના નામે જે કાયદા કાનૂન સાથે જીવવાનું આવે ત્યારે દોજખ જેવું લાગે છે.તેમાં પણ શરૂઆતમાં તો વાંધો ન આવે પરંતુ જેમ જેમ જિંદગી આગળ ચાલતી જાય, જીવનની વાસ્તવિકતા સામે આવતી જાય ત્યારે તેને તેની ભૂલ સમજાય છે.પરંતુ પાછા ફરવામાં બહુ મોડું થઇ જાય છે.પ્રેમનું આ પણ એક વરવું સ્વરૂપ છે.જો કે, આવા કેસીસમાં મોટાભાગે ટ્રેપ વધુ હોય છે. વેલ, ત્યારે લગ્ન મુદ્દે તમે લવ જેહાદ કે વિધર્મીઓની વાત છોડી યુવતીઓ દ્વારા પ્રેમના નામે જયારે કોઈ અયોગ્ય પાત્ર પસંદ કરવામાં આવે છે ત્યારે પણ તેના જીવન લગ્ન બાદના થોડા સમયમાં ઝંઝાવાત શરૂ થાય છે. ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક ખાસ પાટીદાર નેતાઓ અને પાટીદાર સમાજ દ્વારા ભાગીને લગ્ન કરતી દીકરીઓ ના રજીસ્ટ્રેશન માં માત -પિતાની સહી ખાસ હોવી જ જોઈએ તેવી માંગી ઉઠી હતી.જેનો સમાજ સુધારકોએ વિરોધ પણ કર્યો હતો કે ભાઈ આજના યુગમાં આ તે કેવું કે વ્યક્તિ તેની પસંદથી લગ્ન પણ ન કરી શકે ? આ વિવાદ, રજૂઆતો અને સામે માંગણીઓ પણ ખુબ લાંબો સમય ચાલી હતી.ત્યારે આખરે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી દ્વારા લગ્ન નોંધણીને લગતા નિયમોમાં નોંધપાત્ર ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે અને આ વિધેયક મૂકતાં હર્ષ સંઘવી એ ખાસ જણાવ્યું હતું કે, કોઈ સલીમ સુરેશ બની બહેન દીકરીઓને છેતરે તે માટે આ જરૂરી હતું.20 ફેબ્રુઆરીના રોજ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય વિધાનસભામાં ગુજરાત લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. સરકાર જણાવે છે કે આંતરધાર્મિક લગ્નોમાં છેતરપિંડી અને ઓળખ છુપાવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.
માતાપિતાને જાણ કરવી આવશ્યક છે
હવેથી આ પ્રસ્તાવ મુજબ, ક્ધયા અને વરરાજાએ હવે લગ્ન નોંધણી કરતી વખતે એક ઘોષણાપત્ર રજૂ કરવાની જરૂર પડશે, જેમાં જણાવવામાં આવશે કે તેઓએ તેમના માતાપિતાને લગ્ન વિશે જાણ કરી છે કે નહીં ? અરજીમાં બંને માતાપિતાના નામ, સરનામું, આધાર નંબર અને મોબાઇલ નંબરની જરૂર પડશે. અરજીની સમીક્ષા કર્યા પછી, સહાયક રજિસ્ટ્રાર 10 કાર્યકારી દિવસોમાં માતાપિતાને ઠવફતિંઆા, ઇમેઇલ અથવા અન્ય માધ્યમો દ્વારા સૂચના મોકલશે. સરકાર માને છે કે આનાથી પરિવારો માટે સમયસર માહિતી સુનિશ્ચિત થશે.
- Advertisement -
પ્રમાણપત્રો જારી કરવામાં વધુ સમય લાગશે
નવા પ્રસ્તાવ હેઠળ, લગ્ન પ્રમાણપત્રો જારી કરવામાં 30 થી 40 દિવસ લાગી શકે છે. આ સમય દરમિયાન કોઈપણ વાંધાઓની તપાસ કરવામાં આવશે. બધા દસ્તાવેજો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવા પડશે, અને આ હેતુ માટે એક અલગ પોર્ટલ બનાવવામાં આવશે. છેતરપિંડી અટકાવવા માટે સાક્ષીઓના ફોટા અને આધાર કાર્ડ પણ ફરજિયાત બનાવવામાં આવશે. હર્ષ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે આ નિર્ણય દીકરીઓનું રક્ષણ કરવા અને સામાજિક વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે લેવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ખોટા બહાના હેઠળ લગ્ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારનો દાવો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, અસંખ્ય કિસ્સાઓ નોંધાયા છે જ્યાં યુવતીઓને લલચાવીને અન્ય રાજ્યોમાં લઈ જવામાં આવી છે.
30 દિવસ માટે સૂચનો માંગવામાં આવશે
આ દરખાસ્ત 30 દિવસ માટે જાહેર સૂચનો અને વાંધાઓ માટે ખુલ્લો રહેશે. તે પછી, અંતિમ નિયમો લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં પણ સમાન નિયમોની માંગણીઓ વધી રહી છે, જ્યાં ઘણી સંસ્થાઓએ સરકારને યુવતીઓની સુરક્ષા માટે કડક જોગવાઈઓ કરવાની અપીલ કરી છે. ખેર ત્યારે આ નિર્ણય બાદ દેશભરના મીડિયાએ કાગારોળ મચાવી હતી અને આ નિર્ણયને ખાપ પંચાયત ના નિર્ણય સાથે સરખાવવામાં આવ્યો હતો.અને આ અંગે દેશભરમાં ટીકા-ટિપ્પણીઓ થઇ હતી.જેમાં ક્યાંક સાચું પણ છે અને ક્યાંક ખોટું પણ છે.સંવિધાને તમામ પુખ્ત લોકોને વ્યક્તિ સ્વાતંત્રતા ને લઈને આપેલા જ છે જેનો ક્યાંક ભંગ પણ થાય. પરંતુ પ્રેમના નામે જયારે છેતરામણી થતી હોય ત્યાં કાયદો ભંગ કેવી રીતે આવે ? પોતાની વ્હાલસોયીને કોઈની ટ્રેપમાં થી બચાવવી તે દુનિયાના કોઈપણ કાનૂનમાં ગુનો ન હોય. કેમ કે, જયારે જિંદગી દોજખ બને ત્યારે ત્યાં કાયદો પણ પસંદગીના અધિકારના મામલે હાથબંધીને ઉભો જ રહી જાય તેમાં કોઈ શક નહીં.



