By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    2 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    3 hours ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    4 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    23 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    3 hours ago
    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
    3 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે એકીકૃત વૈશ્વિક વલણ અપનાવવાની વિનંતી કરી, બેવડા ધોરણોની ટીકા કરી
    4 hours ago
    ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો
    5 hours ago
    આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    2 hours ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    1 day ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    2 hours ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    1 day ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વૃંદાવનધામમાં ઉકાણી પરિવાર દ્વારા આજે દીપદાન મનોરથ ઉજવાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વૃંદાવનધામમાં ઉકાણી પરિવાર દ્વારા આજે દીપદાન મનોરથ ઉજવાશે
રાજકોટ

વૃંદાવનધામમાં ઉકાણી પરિવાર દ્વારા આજે દીપદાન મનોરથ ઉજવાશે

Khaskhabar Editor
Last updated: 2025/01/09 at 5:52 PM
Khaskhabar Editor 5 months ago
Share
6 Min Read
SHARE

ઇશ્ર્વરીયા ખાતે વૃંદાવનધામમાં આહલાદક નજારો… મનોરથના દર્શનથી ભાવિકો ભાવવિભોર

નાથદ્વારાના વિશાલબાવાની નિશ્રામાં ઉકાણી પરિવાર દ્વારા ગૌચરણ મનોરથની ઉજવણી

- Advertisement -

સ્વયં ઠાકોરજીનું સ્વરૂપ ગણાતા ‘ધ્વજાજી’ના દર્શન માટે કૃષ્ણભકતો ઉમટી પડયા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટના દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણી પરિવાર દ્વારા ઇશ્વરીયા ખાતે વૃંદાવનધામમાં ત્રિદિવસીય મનોરથ ઉત્સવમાં વૈષ્ણવો તથા રાજકોટવાસીઓ એ વૃંદાવનધામનો નજારો નીહાળી નાથદ્વારામાં ‘ઠાકોરજી’ના દર્શન કરતા હોય તેવી ધન્યતા અનુભવી છે. ગઇકાલે નાથદ્વારાના પૂ. વિશાલ બાવા ની નિશ્રામાં ઉકાણી પરિવાર દ્રારા ગૌચરણ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. પૂ. વિશાલ બાવા પુષ્ટીમાર્ગીય પ્રધાનપીઠ ગણાતા શ્રી નાથજી હવેલીમાં નિયમાનુસાર ભોગ ધરાવી ગઇકાલે તત્કાલ રાજકોટ વૃંદાવનધામ પરત ફર્યા હતા. આજથી 5 વર્ષ પૂર્વ ‘કૃષ્ણચરિત્ર કથા’ સપ્તાહમાં ભવ્ય વિશાળ સેટ સાથેનું યાદગાર આયોજન ની ભેટ આપનાર બાનલેબ ઉકાણી પરિવાર દ્વારા ત્રીદિવસીય મનોરથ માટે વૃંદાવન ધામની પાવન ભૂમીમાં મનોરથ ઉત્સવ કાર્યક્રમ સવારે 8:30 થી અને સાંજે 4:30 થી 8:30 દર્શન તથા ધ્વજાજી આરોહણના પ્રસંગો ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઇ રહયા છે. ગઇ કાલે આયોજીત ગૌચરણ મનોરથમાં રાજકોટવાસીઓની બહોળી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. આજે દિપદાન મનદરથની ભવ્ય ઉજવણી થનાર છે. દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ આયોજીત ત્રિદિવસીય મનોરથ ઉત્સવ, મહેમાનો ના નામે વૃક્ષારોપણ સહીતના બાનલેબ ઉકાણી પરિવાર દ્રારા આયોજન રાજકોટ વાસીઓ માટે એક સોનેરી સંભારણું છે.

- Advertisement -

વૈષ્ણવોના પવિત્ર યાત્રાધામ શ્રી નાથદ્વારા થી ખાસ ચાર્ટર પ્લેનમાં બે દિવસ પૂર્વ તા. 6 જાન્યુઆરી ના રોજ શ્રી નાથદ્વારા ની ‘ધ્વજાજી’ ને લાવવામાં આવી હતી. સ્વયં ઠાકોરજી સ્વરૂપ ગણાતા ‘ધ્વજાજી’ ની વિશાળ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પર નીકળી હતી. ઇશ્વરીયા ના વૃંદાવનધામ ખાતે નિર્મિત મોતીમહેલમાં ‘શ્રીનાથજીની સન્મુખ ‘ધ્વજાજી’ નું પૂ.પૂ. 105 વિશાલ બાવા ગોસ્વામીજી ના હસ્તે આરોહણ કરાયુ હતું ગઇકાલે ઉકાણી પરિવારના ડો. ડાયાભાઇ ઉકાણી, નટુભાઇ ઉકાણી, શ્રીમતી અમીતાબેન નટુભાઇ ઉકાણી, મૌલેશભાઇ ઉકાણી, સોનલબેન મૌલેશભાઇ ઉકાણી, લવ ઉકાણી, રીશા લવ ઉકાણી, જય ઉકાણી, હેમાંશી જય ઉકાણી, રાધા અને રીશી, વિધી, યુગ સહીતના પરિવારજનોએ પૂ. વિશાલ બાવાના સાનિધ્યમાં ગૌચરણ મનોરથની ઉજવણી કરી હતી.

ઉકાણી પરિવારના ઇશ્વરીયા સ્થિત દ્વારકાધીશ ફાર્મ ખાતે ઉભા કરવામાં આવેલા વૃંદાવન ધામ ખાતે ત્રિદિવસીય મનોરથ પ્રસંગે વૈષ્ણવો તથા રાજકોટવાસીઓ કૃષ્ણભકિતના રંગે રંગાયા હોય તેવો માહોલ સર્જાયો છે. વૃંદાવન ખાતે નિર્મિત ગીરીરાજ પર્વત, નાથજીના ના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્રારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતી ના દર્શન માટે ભાવીકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. વૃંદાવનધામ ખાતે ‘ઠાકોરજી’ ના દર્શન માટે પધારતા ભાવિકો માટે ઉકાણી પરિવાર દ્રારા સુચારૂ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે વુદાવનધામમાં ગઇ કાલે ગૌચરણ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી આ ત્રિદિવસીયા મનોરથ ઉતસવમાં સામાજીક રાજકીય મહાનુભાવો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્રાજ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોધરા, પરેશભાઇ ગજેરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, દુર્લભજીભાઇ દેથલીયા, લલીતભાઇ રાદડીયા, ડો. દર્શીતાબેન શાહ, પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, દંડક મનીષભાઇ રાડીયા, પૂર્વ કમિશ્નર રાજુ ભાર્ગવ, ઉમિયાધામના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ જગદીશભાઇ કોટડીયા, ઉદ્યોગપતિઓ મનસુખભાઇ પાણ, નાથાભાઇ કાલરીયા, રાજનભાઇ વડાલીયા, રમણભાઇ વરમોરા, પવિત્ર યાત્રાધામ ના સચિવ રમેશભાઇ મેરજા, ઉમિયા પરિવાર સંગઠન પ્રમુખ કૌશીકભાઇ રાબડીયા સહીત રાજકીય સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ એ વૃંદાવન ધામની મુલાકાત લીધી હતી.

પુષ્ટિમાર્ગીય પ્રધાનપીઠ શ્રીનાથજી હવેલીના પૂજય વિશાલબાવાના હસ્તે ધ્વજારોહણ

રાજકોટની ભાગોળે ઇશ્વરીયાના દ્રારકાધીશ ફાર્મ ખાતે ધ્વજાઆરોહણનો દિવ્ય પ્રસંગ ઉજવાયો પુષ્ટિમાર્ગીય પ્રભાનપીઠ શ્રીનાથજી હવેલીના યુવાચાર્ય ગો.ચી. 105 શ્રી વિશાલ બાવા કે જેઓ શ્રીનાથજી હવેલીના શ્રી શ્રી તિલકાયતના સુપુત્ર છે તેઓના હસ્તે ‘ધ્વજાજી’ નું આરોહણ કરવામાં આવ્યુ હતુ. 12.5 એકરમાં નિર્મિત વૃંદાવનધામમાં શ્રીનાથજી, મોતી મહેલ, બાંકેબિહારી મંદિર, પ્રેમ મંદિર, ની અદ્ભૂત આકૃતિઓ બનેલ છે. શ્રી વિશાલ બાવાએ આરતી પૂજન વિધિ બાદ પોતાના કર કમલોથી ભવ્ય ધ્વજ ચઢાવ્યો હતો.આ અવસરે છપ્પન ભોગ મનોરથ ઉજવાયો હતો. ઉકાણી પરિવાર દ્રારા સતત ત્રણ દિવસ સુધી છપ્નભોગ, ગૌચરણ, દિપદાન મનોરથ ઉત્સવ ઉજવાશે.

આ અવસરે ‘ધ્વજાજી’ નું મહાત્મ સમજાવતા શ્રી વિશાલ બાવાએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે જગતગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય ના ચરણ દ્રારા પ્રસ્તુત એવમ ‘પિતૃવેશશોદ્ધિ’ આપના પરિવાર દ્વારા શોભીત અને પલ્લવીત પુષ્ટીમાર્ગમાં ‘ધ્વજાજી’ નું અલૌકીક મહત્વ છે. ‘ગોપિકા પ્રોકત ગુરુવાહ’ અર્થાત પુષ્ટિમાર્ગમાં ગોપીઓ ગુરૂ સમાન છે. અને અષ્ટ સખા આ સ્વરૂપને ‘ગોપી પ્રેમ કી ધ્વજા’ તરીકે વર્ણવે છે. સુષ્ટિને આર્શીવાદ આપવા માટે ગોર્વધનધારી ધ્વજાજી મંદિર શિખર પર પોતાના દૈદીપ્યમાન સ્વરૂપમાં બિરાજમાન છે. એક વાર શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યઅ. વિચાર્યુ કે કલીયુગમેં અનેક કષ્ટ ભોગવતા વૈષ્ણવજનો જો પ્રભુના દર્શન ન કરી શકે તો તેનો ઉપાય શું? ત્યારે શ્રીજી પ્રભુએ તેમને પ્રેરણા આપી કે તેઓ આવી શકે તો હું તેમને શ્રી ધ્વજાજીના સ્વરૂપમાં દર્શન આપવા માટે ધ્વજ સ્વરૂપે દરવાજે હાજર થઇશ. આ શ્રીજી ભગવાન વૈષ્ણવોને ઘ્વજ સ્વરૂપે દેખાય છે કે જેઓ વૈષ્ણવો પર અપાર કૃપા કરે છે.

અષ્ટ સખા શ્રી સુરદાસજીને વૈષ્ણવોએ તેઓના અંતિમ સમયમાં પુછ્યુ કે તમે શ્રીજી પ્રભુના દર્શન કેવી રીતે કરો છો પછી તરજ શ્રી સુરદારજીએ ધ્વજા તરફ હાથ ઉંચો કરી ને કહયુ કે તે આપણા શ્રીનાથજી છે. આજે પણ વૈષ્ણવો શ્રીજીના દર્શન તેમજ ધ્વજાજીના દર્શનને સ્વયં શ્રીજીનું સ્વરૂપ માને છે. તેથી, આજે પણ શ્રીજી પ્રભુ વૈષ્ણવો લોકો પ્રત્યે તેમની કૃતજ્ઞતા અર્પણ કરવા માટે ‘ધ્વજાજી’ સ્વરૂપે તેમના ઘેર આવે છે. અને પુષ્ટિ માર્ગીય પરંપરાઓમાં આ પરંપરા સૌથી અન્નય છે.

You Might Also Like

રાજકોટનાં રેસકોર્સમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભા શરૂ: આગેવાનો-કાર્યકર્તાઓ ઉમટ્યા

વિજયભાઇની અંતિમ સફરમાં પૂજારા ટેલિકોમના યોગેશ પૂજારા અને તેમની ટીમે જોડાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રાજકોટના જનનાયક વિજયભાઈને લોકોની અશ્રુભીની વિદાય, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો

બોટાદમાં ઇકો તણાતાં 5 લાપતા, અમરેલીમાં બેનાં મોત: બગડ નદીમાં ઘોડાપૂર, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી

રાજકોટના આરબી પાર્ટનર્સ ગ્રુપનું ચોલા એમએસ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કોચી કેરલામાં ભવ્ય સન્માન

TAGGED: Rajkot, Ukani family, Vrindavandham
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article JIC જૂનાગઢ 2025ના પ્રેસિડેન્ટ ડૉ.મોહિત જોશીનો શપથવિધિ સમારોહ યોજાયો
Next Article VHPના સંગઠન મંત્રી મિલિંદજી પરાંડે સાથે પ્રબુદ્ધ નાગરિકોની ગોષ્ઠિ યોજાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

15 ઓગસ્ટથી 3000માં ફાસ્ટેગનો વાર્ષિક પાસ કઢાવી શકશો: નીતિન ગડકરીએ કરી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટનાં રેસકોર્સમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભા શરૂ: આગેવાનો-કાર્યકર્તાઓ ઉમટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

વિજયભાઇની અંતિમ સફરમાં પૂજારા ટેલિકોમના યોગેશ પૂજારા અને તેમની ટીમે જોડાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટના જનનાયક વિજયભાઈને લોકોની અશ્રુભીની વિદાય, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?