માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલી 22 દીકરીઓના માવતરો બનવાનું સદ્ભાગ્ય ફરી એકવાર દીકરાનું ઘરની ટીમને મળ્યું
પ્રત્યેક દીકરીઓને લાખેણો કરિયાવર 300થી વધુ કરિયાવરરૂપી વસ્તુઓ ભેટ
‘વહાલુડીના વિવાહ’નું ફોર્મ વિતરણ તા. 21 જૂલાઈથી 28 ઓગસ્ટ સુધી થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
‘દીકરાનું ઘર’ દ્વારા 2018થી માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલી નિરાધાર, નિ:સહાય, લાચાર, અત્યંત ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે. ‘વહાલુડીના વિવાહ’ શીર્ષક હેઠળ યોજાતો આ લગ્નોત્સવ આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્વીકૃત બન્યો છે. ‘વહાલુડીના વિવાહ’ એ માત્ર ‘દીકરાનું ઘર’નો પ્રસંગ ન બની રહેતા સમગ્ર સમાજનો પ્રસંગ હોય તે રીતે દિવ્ય અને ભવ્ય બની રહે છે. છેલ્લા સાત વર્ષથી ‘વહાલુડીના વિવાહ’ અત્યંત જાજરમાન રીતે એક પિતા જે રીતે પોતાની દીકરીનો પ્રસંગ ઉજવે એ રીતે ઉજવવામાં આવે છે. ચાલુ સાલ પણ સતત આઠમા વર્ષે આ અદકેરૂં આયોજન હાથ ધરાયું છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ‘વહાલુડીના વિવાહ-8’ના મુખ્ય યજમાનપદે રાજકોટ શહેરની સુખી અને સંપન્ન પરિવારની ત્રણ બહેનપણીઓ વર્ષાબેન કિરીટભાઈ આદ્રોજા, નીપાબેન રાજેશભાઈ કાલરીયા તથા કોષાબેન સુનિલભાઈ મહેતા જોડાયેલી છે. આગામી 28 ડિસેમ્બરના રોજ સતત આઠમા વર્ષે વહાલુડીના વિવાહ-8 દીકરાનું ઘર દ્વારા અત્યંત ભવ્યાતિભવ્ય છતાં ગરિમાપૂર્ણ રીતે યોજાશે. ચાલુ સાલે ફરી એક વખત 22 દીકરીઓના જરૂરિયાત મુજબનો સમૃદ્ધ કરિયાવર અર્પણ કરી તેના સાંસારિક જીવનમાં સુખી થાય તેવા આશીર્વાદ સાથે વિદાય અપાશે. સતત આઠમા વર્ષે દીકરાનું ઘરની ટીમને આવી દીકરીઓના માતા-પિતા કે ભાઈ બનવાનું સદ્ભાગ્ય મળ્યું છે જેમાં સમાજના સુખી સંપન્ન દાતાઓનો અનેરો સહયોગ મળતો રહે છે. આ અંગેની વિશેષ માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા અને કિરીટભાઈ આદ્રોજાએ જણાવ્યું છે કે દીકરાનું ઘર દ્વારા ફરી એક વખત સતત આઠમા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલી કે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના જીવનમાં રંગ પુરવાનો અવસર ઉભો કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘વહાલુડીના વિવાહ’ આજે સૌરાષ્ટ્રભરમાં ખ્યાતિ પ્રાપ્ત બન્યા છે. સમાજના તમામ સ્તરેથી ‘વહાલુડીના વિવાહ’ને વ્યાપક સમર્થન મળી રહે છે. 2018થી શરૂ થયેલા આ વિવાહમાં શહેરના અત્યંત સુખી સંપન્ન દાતાઓ અને પરિવારો આગળ આવી રહ્યા છે. જેમાં ભાવેશભાઈ તળાવિયા પરિવાર, જાણીતા બિલ્ડર ધીરુભાઈ રોકડ પરિવાર, પાણ ગ્રુપના મનસુખભાઈ પાણ પરિવાર, સંજયભાઈ ધમસાણીયા પરિવાર પણ યજમાનપદે અગાઉ રહી ચૂક્યા છે. ચાલુ સાલ ‘વહાલુડીના વિવાહ-8’ અત્યંત ભવ્યાતિભવ્ય રીતે યોજાશે અને તે માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ લગ્નની વિશેષતામાં ગુજરાતના કોઈપણ ખૂણે દેશ કાજે શહીદ થયેલ જવાનની દીકરી અમારા ધ્યાને આવશે તો આવી દીકરીને તેમની ઈચ્છા મુજબના લગ્ન સંસ્થા દ્વારા કરાવી આપવામાં આવશે. ઉપરાંત પાંચ લાખથી વધુ રકમનો સમૃદ્ધ કરિયાવર પણ આપવામાં આવશે. ગુજરાતના કોઈપણ ખૂણે આવા શહીદ થયેલા જવાનની દીકરી ધ્યાને હોય તો અમારા સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવે છે. ‘વહાલુડીના વિવાહ-8’ની વિશેષ માહિત આપતાં મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ડો. નીદતભાઈ બારોટ, પ્રતાપભાઈ પટેલ, ધીરુભાઈ રોકડ, વલ્લભભાઈ સતાણી, વસંતભાઈ ગાદેશા તેમજ હસુભાઈ રાચ્છે વધુમાં જણાવ્યું છે કે દીકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરિયાવર ભેટરૂપે 300થી વધુ વસ્તુઓ ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત ‘વહાલુડીના વિવાહ’ લગ્નોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક દીકરીઓને સરકાર દ્વારા મળતી સહાય કુંવરબાઈનું મામેરુ અને સપ્તપદીના સાત ફેરા હેઠળ સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતી સહાય પણ અપાવવામાં સંસ્થા નિમિત્ત બનશે તેમ સંસ્થાના સુનિલ મહેતા, ધર્મેશ જીવાણી, હરેશભાઈ પરસાણા, કિરીટભાઈ પટેલ, અશ્ર્વિનભાઈ પટેલ, દીપકભાઈ જલુ, ગૌરાંગ ઠક્કર દ્વારા જણાવાયું છે. ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમના સંસ્થાપક મુકેશ દોશીએ વધુમાં જણાવ્યું છે કે ‘વહાલુડીના વિવાહ’ પ્રસંગ એ અનાથ દીકરીઓના જીવનમાં રંગ પુરવાનો અવસર છે.
વહાલુડીના વિવાહ પ્રસંગ અતિધામધૂમથી ભવ્યથી ભવ્ય રીતે હજારો લોકોની હાજરીમાં ઠાઠમાઠથી ઉજવવામાં આવશે. આ અંગેની વિશેષ માહિતી આપતાં સંસ્થાના ઉપેનભાઈ મોદી, હરદેવસિંહ જાડેજા, હરેન મહેતા, રાકેશભાઈ ભાલાળા, પ્રવીણભાઈ હાપલીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, શૈલેશભાઈ જાની, ડો. મયંકભાઈ ઠક્કર, ઘનશ્યામભાઈ રાચ્છ, જયેશભાઈ સોરઠીયા, રાજદીપસિંહ જાડેજા, અજયભાઈ પટેલ, હરીશભાઈ હરિયાણી, દોલતભાઈ ગાદેશા, વિરાભાઈ હુંબલ, સંજયભાઈ દવે, અશ્ર્વિનભાઈ આદ્રોજા, યશવંતભાઈ જોષીએ જણાવ્યું છે કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 164 દીકરીઓને પરણાવવામાં આવી છે. ‘વહાલુડીના વિવાહ-8’નું ફોર્મ વિતરણ તા. 21-7-2025થી 28-8-2025 સુધી સાંજના 4-00થી 7-00 સુધી 305- ગુરુરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, વિરાણી ચોક, ટાગોર રોડ ઉપરથી કરવામાં આવશે. જેમાં ફોર્મ લેવા આવનાર દીકરીએ ઉંમરનું પ્રમાણપત્ર સાથે લઈ આવવું ફરજિયાત રહેશે. આ લગ્નોત્સવને સફળ બનાવવા હાર્દિક દોશી, પ્રનંદ કલ્યાણી, જીજ્ઞેશ આદ્રોજા, કેતન મેસવાણી, રાજુભાઈ વસંત, જીતુભાઈ ગાંધી, મહેશભાઈ જીવરાજાની, પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, હસુભાઈ શાહ, પારસ મોદી, પંકજ રૂપારેલિયા, વિપુલભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગોવાણી, જીજ્ઞેશ પુરોહિત, ધીરજ ટીલાળા, આર. ડી. જાડેજા, ચેતન મહેતા, અતુલ વોરા, ડો. દીપકભાઈ પારેખ, વિમલ પાણખાણીયા, સાવન ભાડલીયા, શૈલેષ દવે, બ્રીજ વૈષ્ણવ, કામેબ માજી સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ‘વહાલુડીના વિવાહ-8’ સંદર્ભે કોઈ માહિતી માટે તથા દીકરીઓને કરિયાવરરૂપી ભેટ આપવા ઈચ્છતાં દાતાઓ સંસ્થાના મુકેશ દોશી 9825077725, સુનીલ વોરા 9825217320 ઉપર સંપર્ક કરી શકે છે તેવું આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવેલા અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, હસુભાઈ રાચ્છ અને અશ્ર્વિનભાઈ પટેલે જણાવ્યું હતું.