આજે વૃદ્ધાશ્રમમાં જમણવાર અને તા.15મીએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર મધ્યે ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ ‘સર્વેશ્ર્વર ચોક’માં ‘સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ ધ્વારા જે ભવ્યથી અતિભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમાં આ વર્ષે ગણેશ પંડાલ જોઘપુર મારબલ ગોલ્ડન ઈફેકટ ઉપર આધારીત છે જે જોધપુરના માસ્ટર્સ દ્વારા બનાવવામાં આવેલ છે. તેમજ ગણપતિ મહોત્સવ ની થીમ ગોલ્ડન મી22 આધારીત છે જે રાજસ્થાનના કારીગરો ધ્વારા બનાવવામાં આવેલ છે. જે સમગ્ર ડીઝાઈન “ખોડલધામ ઈવેન્ટ’ ના શ્રી અશોકભાઈ લુણાગરીયા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. ‘સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ના આમંત્રણને માન આપી ‘લુણસર આશ્રમ’ ના ગુરૂજી દીનેશજી ગુરૂજી રાવલ સહપરિવાર તથા ટ્રેઝરી વિભાગના અધિકારી વિમલદાન ગઢવી, રાજેશભાઈ ઢોલરીયા (રાજુ આતા), કેતનભાઈ સાપરીયા કે જેઓ ‘સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ના સભ્ય છે તેઓ પણ સહપરિવાર તેમજ એચ.બી.એમ. પોલીપ્લાસ્ટના દિનેશભાઈ ભુત સહપરિવાર તેમજ મુરલીધર સ્કુલ તથા ઈનોવેટીવ સ્કુલના ઓનર દર્શિતભાઈ જાની તથા તેમના મિત્ર વિપુલભાઈ શુકલ મહાઆરતીમાં પધાર્યા હતા.
વોર્ડ નં. 7 કોર્પોરેટર તેમજ પંચનાથ ચેરીટેબલ ટ્રસ્ટના દેવાંગભાઇ માંકડ, વોર્ડ નં.7ના પ્રમુખ કૌશિકભાઇ ચાવડા, વોર્ડના મહામંત્રી દિપકભાઇ પારેખ, મહામંત્રી વિશાલભાઇ માંડલિયા, બક્ષીપંચ મોરચાના શહેર ઉપપ્રમુખ સંદિપભાઇ ડોડિયા, આદીવાસી મોરચાના પ્રદેશ કોષાધ્યક્ષ દર્શનભાઇ ભીલ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચા અને બીએસએનએલના સદસ્ય કિરીટભાઇ ગોહેલ, લોધા સમાજના અગ્રણી કેતનભાઇ ઝરીયા, ભાજપ અગ્રણી અને યુવા એડવોકેટ ચંદ્રેશભાઇ પરમાર તેમજ એડવોકેટ કિરીટભાઈ ગોહેલ સહિતના લોકોએ પણ દર્શનનો લાભ લીધો હતો.
આરતી પુર્ણ થયા બાદ ‘રામકૃષ્ણ આશ્રમ’ના મુખ્ય સ્વામી તેમના અનુયાયીઓ સાથે પધાર્યા હતાં. ‘સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ ના તમામ સભ્યો દરેક ભકતોને બહોળી સંખ્યામાં દર્શન કરવા આમંત્રણ આપે છે.
- Advertisement -
સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવમાં દરરોજ સવારે 8-30 કલાકે મંગળાઆરતી, સાંજે 7-45 કલાકે મહાઆરતી તથા રાત્રે 12-00 કલાકે શયનઆરતી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદ ઘર બનાવવામાં આવ્યું છે, જેમાં દરેક દિવસ દરેક ભાવિકોને અલગ અલગ પ્રસાદ આપવામાં આવે છે. દરેક દિવસે 25000થી 30000 ભાવિકો દર્શનનો લાભ લે છે તથા પોતાની માનતા પૂરી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂા. 50,00,000નો વિમો લેવામાં આવ્યો છે. તા. 12-9ના રોજ વૃદ્ધાશ્રમનો આરતી તથા જમણવાર રાખવામાં આવ્યો છે. તા. 13-9ના રોજ અનાથ બાળકોનો જમણવાર તથા તા. 15-9ના બ્લડ ડોનેશન કેમ્પ તથા સાંજે 5-00 કલાકે અન્નકૂટ દર્શન રાખવામાં આવેલા છે. તો રાજકોટની ધર્મપ્રેમી જનતાને સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. ગણપતિ મહોત્સવ તા. 17-9 સુધી ચાલશે તેમજ સરકારના નિયમો મુજબ 9 ફૂટની ઊંચાઈની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે તથા વિસર્જન તા. 17-9ના રોજ પોલીસ કમિશનરની સૂચના અનુસાર આજી ડેમની બાજુમાં કરવામાં આવશે. આ મહોત્સવને સફળ બનાવવા સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ગણપતિ મહોત્સવને વધુમાં વધુ સફળ બનાવવા માટે સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.