રાહુલ દ્વારા લોકોને પૂછવામાં આવ્યું કે શું રામમંદિર કાર્યક્રમમાં કોઈ ગરીબ કે મજૂર જોવા મળ્યા ? પણ જોવા મળ્યા અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, અદાણી અને અંબાણી
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ચંદૌલી શહેરમાં પ્રવેશી છે. રાહુલે નેશનલ ઈન્ટર કોલેજના મેદાનમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, રામ મંદિરના અભિષેક સમારોહમાં અબજોપતિઓ માટે કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું. ગરીબો માટે કંઈ નથી.
- Advertisement -
देश में आज 2 सबसे बड़े मुद्दे हैं:
1- बेरोजगारी
2- महंगाई
आज 2 हिंदुस्तान बन गए हैं- एक अरबपतियों का, दूसरा गरीबों का
- Advertisement -
देश के बड़े-बड़े मीडिया संस्थान अडानी और अंबानी के हैं। ये लोग किसान, मजदूर, गरीबों को नहीं दिखाते.. 24 घंटा केवल नरेंद्र मोदी को दिखाते हैं।
: @RahulGandhi… pic.twitter.com/LiOGgDWz7f
— Congress (@INCIndia) February 17, 2024
શું કહ્યું રાહુલ ગાંધીએ ?
રાહુલે ગાંધી કહ્યું કે, અબજોપતિઓ માટે કાર્પેટ બિછાવવામાં આવ્યું છે, ગરીબો માટે કંઈ નથી. TV પર ઐશ્વર્યા રાય ડાન્સ કરતી અને અભિતાભ બચ્ચન ડાન્સ કરતાં જોવા મળશે પણ કોઈ પણ ગરીબ માટે સમસ્યા નહિ દેખાય. આ સાથે રાહુલ દ્વારા લોકોને પૂછવામાં આવ્યું કે શું રામમંદિર કાર્યક્રમમાં કોઈ ગરીબ કે મજૂર જોવા મળ્યા ? પણ જોવા મળ્યા અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, અદાણી અને અંબાણી. ચંદૌલીમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ જાહેર સભામાં 6 વખત અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાયનું નામ લીધું હતું.
નેશનલ ઈન્ટર કોલેજ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધતા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ સરહદ પર પહોંચ્યા કે તરત જ તેમને ખબર પડી કે તેઓ UP આવી ગયા છે. તેમણે કહ્યું કે, અમે ભાષણ આપતા નથી, અમે તમને 7-8 કલાક મળીએ છીએ, તમારી પીડા અને વ્યથા સાંભળીએ છીએ અને અંતે 15 મિનિટ બોલીએ છીએ. રાહુલ ગાંધી કાર દ્વારા જાહેર સભા સ્થળથી માત્ર 400 મીટર દૂર સ્થિત શહીદ સ્મારક પહોંચ્યા હતા. રાહુલ ગાંધી ખુલ્લી કારમાં જ જાહેર સભાના મંચ પર પહોંચ્યા હતા.