શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા HCGનાં સંયુક્ત ઉપક્રમે આયોજન
મો અને ગળાના કેન્સર નિદાન કેમ્પનો દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે નિ:શુલ્ક લાભ લઇ શકાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જરૂરીયાતમંદ નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા 24 વર્ષથી કાર્યરત શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થ કેર ગ્લોબલ (HCG)નાં સંયુકત ઉપક્રમે છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્વને ભરડામાં લઈ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહિનાના 2 તથા 4 શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે “કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ” હાથ ધરાયો છે. શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ લાભ લઈ શકશે.
જે અંતર્ગત તા.12/04/2025, શનિવારના રોજ કેન્સર નિષ્ણાંત ડો.પરીન પટેલ શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ ” 1-મયુરનગર, રાજકોટ મહાનગર પાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે 9 થી 10 વાગ્યા સુધીનો રહેશે. કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબ ડો.પરીન પટેલ સેવાઓ આપશે. જે અંતર્ગત મોં, ગળું, જડબાંના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામૂલ્યે લાભ લેવા ટ્સ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી શ્રીમતિ અંજલિબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે. દર્શાવેલા લક્ષણો પૈકી કોઈપણ એક દેખાય તો પણ લેશમાત્ર આળસ કે બેદરકારી દાખવ્યા સિવાય નિદાન કરાવી લેવું જોઈએ. જેના લક્ષણો : લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ, લાંબો સમય અવાજ બેસી જવો, ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ, ગળામાં સતત દુખાવો ચાલુ રહેવો. વર્તમાન સમયમાં ખોટા પ્રકારની લાઈફ સ્ટાઈલ તથા અતિ ખર્ચાળ મેડીકલ ટ્રીટમેન્ટ વચ્ચે કઈ કઈ સાવચેતી રાખીને કેન્સરથી બચી શકાય છે.
વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટનો શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.0281-2704545 દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.