સરકાર પરનો બોજ ઓછો કરવાનો હેતુ: અધિકારીઓ આરોગ્ય, ઉંમર અને નાણાકીય સ્થિતિની તપાસ કરશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવી બીમારીઓથી પીડિત લોકોને હવે અમેરિકામાં પ્રવેશવામાં મુશ્ર્કેલી પડી શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શુક્રવારે વિશ્ર્વભરના યુએસ દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સને નિર્દેશ આપ્યો હતો કે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને અમેરિકામાં મુસાફરી કરવા કે રહેવાની મંજૂરી ન આપવામાં આવે. આ નિયમ ‘પબ્લિક ચાર્જ’ નીતિ પર આધારિત છે, જેનો ઉદ્દેશ એવા ઇમિગ્રન્ટ્સને રોકવાનો છે જેઓ યુએસ સરકારી સંસાધનો પર નિર્ભર બની શકે છે.
તે વિઝા અધિકારીઓને અરજદારોના સ્વાસ્થ્ય, ઉંમર અને નાણાકીય સ્થિતિની તપાસ કરવાની સલાહ આપે છે. જો કોઈ વ્યક્તિને ભવિષ્યમાં ખર્ચાળ તબીબી સંભાળની જરૂર પડે અથવા સરકારી સહાય પર નિર્ભર બને તો તેમના વિઝા રિજેકટ કરવામાં આવશે. અધિકારીઓને આપવામાં આવેલા નિર્દેશમાં જણાવાયું છે કે અરજદારના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેવું મહત્ત્વપૂર્ણ છે. હૃદયરોગ, શ્ર્વસન સમસ્યાઓ, કેન્સર, ડાયાબિટીસ, મેટાબોલિક રોગો, ન્યુરોલોજિકલ રોગો અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી તબીબી પરિસ્થિતિઓ લાખો ડોલરના ખર્ચે સંભાળની જરૂરિયાત તરફ દોરી શકે છે. વધુમાં, અધિકારીઓ સ્થૂળતા જેવી પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં લેશે, કારણ કે એ અસ્થમા, સ્લીપ એપનિયા અને હાઈ બ્લડપ્રેશર જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
નવા નિર્દેશો હેઠળ, અધિકારીઓએ નક્કી કરવું પડશે કે શું સ્થળાંતર કરનારી વ્યક્તિ ‘પબ્લિક ચાર્જ’ બની શકે છે, જેનો અર્થ સરકારી સંસાધનો પર બોજ છે અને શું તેમને ખર્ચાળ લાંબા ગાળાની સંભાળની જરૂર પડશે.
- Advertisement -
અહેવાલ મુજબ, “વિઝા અધિકારીઓને એ પણ તપાસવાનું કહેવામાં આવ્યું છે કે શું અરજદાર સરકારી સહાય વિના તેમના જીવનભર પોતાના તબીબી ખર્ચાઓનો સામનો કરી શકે છે. વધુમાં, બાળકો અથવા વૃદ્ધ માતાપિતા જેવા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં લેવાની જરૂર પડશે.”
લીગલ ઇમિગ્રેશન નેટવર્કના સિનિયર એટર્ની ચાર્લ્સ વ્હીલરે આને ચિંતાનો વિષય ગણાવ્યો અને કહ્યું કે વિઝા અધિકારીઓ સ્વાસ્થ્ય સ્થિતિ તપાસવા માટે તાલીમ પામેલા નથી.
વ્હીલરે કહ્યું- “અધિકારીઓ પાસે આ રોગ કેટલો ખતરનાક છે અથવા એ સરકારી સંસાધનોને કેટલી અસર કરશે એનું મૂલ્યાંકન કરવાનો અનુભવ નથી”
આ દરમિયાન જ્યોર્જટાઉન યુનિવર્સિટીના ઇમિગ્રેશન વકીલ સોફિયા ગેનોવેસે જણાવ્યું હતું કે ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં તબીબી રેકોર્ડ જરૂરી છે, પરંતુ આ નિર્દેશ અરજદારોના તબીબી ખર્ચ અને યુએસમાં નોકરી શોધવાની તેમની ઇચ્છાના આધારે તેમના તબીબી ઇતિહાસને ઘટાડવા પર ભાર મૂકે છે.
જેનોવેસે કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિને ડાયાબિટીસ અથવા હૃદયની સમસ્યાઓ હોઈ શકે છે. સ્વાસ્થ્યની સ્થિતિ અગાઉ તપાસવામાં આવી હતી, પરંતુ “જો કોઈ અચાનક ડાયાબિટીસના આઘાતમાં જાય તો શું?” જો આ ફેરફાર તાત્કાલિક લાગુ કરવામાં આવે તો એ વિઝા ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણી સમસ્યાઓ ઊભી કરશે.
વિઝા અધિકારી શું તપાસશે?
પહેલાં વિઝા પ્રક્રિયામાં ફક્ત ચેપી રોગો (ટીબી, એચઆઈવી)ની તપાસનો સમાવેશ થતો હતો. હવે ભૂતકાળની બીમારીઓનો સંપૂર્ણ ઇતિહાસ માગવામાં આવશે.
તમારી સારવારનો ખર્ચ કેટલો છે?
શું તમે સરકારી મદદ વિના આજીવન સારવાર મેળવી શકો છો?
શું તમારા બાળકને કોઈ ખાસ સંભાળની જરૂર છે? શું તમે કામ કરી શકશો?
શું તમારાં માતા-પિતા બીમાર છે? શું તેઓ તમારી સાથે રહેશે?



