ધોરાજી નગરમાં ભોગ બનનાર તરફથી તારીખ 11-7-2021ના રોજ ફરિયાદ કરવામાં આવેલી કે આરોપી મોહંમદ ઉર્ફે દાડો ગનીભાઇ સમા રહેવાસી રાધાનગર વાળાએ કપટપૂર્વક રીતે પોતે લગ્ન કરેલા નથી તેવું જણાવી અને ભોગ બનનાર ફરિયાદીને instagram મારફતે અમલમાં પડાવી બાદમાં મોરબી પાસે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવાનું કહી અને માનસિક દબાણ આપી લગ્નની લાલચ આપી તથા અમુક વખતે ભોગ બનનારની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેમના શરીર નો દુર ઉપયોગ કરેલો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સાગર બાગમાંર ને તપાસ સોંપવામાં આવેલી હતી. તેમણે તાત્કાલિક આરોપીના ઘર પર ધરતી લીધેલી પરંતુ આરોપી ક્યાં થી ભાગી ગયેલ. અને ત્યારબાદ સાહેદોનાં નિવેદન અને તપાસ પણ ચાલુ કરી દીધેલી હતી. અને ગણતરીના સમયમાં જ આરોપી મહંમદ ઉર્ફે દાડો ની ધરપકડ કરી લેવામાં આવેલી હતી ત્યારબાદ તારીખ 15 જુલાઈ 2021થી આ આરોપી જેલમાં હતો.
- Advertisement -
તે દરમિયાન ગુજરાતની વડી અદાલત એ જમિયત ઉલેમા હિન્દ ગુજરાત વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતનો તારીખ 19 8 2021 નો ચુકાદો આપી અને સામાન્ય ભાષામાં કહીએ તો લવ જેહાદના કાયદા પર રોક આપેલી હતી. જેને લઇને આરોપી તરફથી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ કુમાર શર્મા ની અદાલતમાં પોતાને જામીન મુક્ત કરવા માટેની દાદ માંગી હતી.
સમાંતર ધોરણે ભોગ બનનારને તેમના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપી અને સમાધાન કરવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું હતું આ અંગે અલગથી તપાસ ધોરાજીના મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલાને મહિલાની ગરીમાં જળવાઇ રહે તે માટે સોંપવામાં આવેલી હતી.
- Advertisement -
ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ રૂબરૂ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે ગુજરાતની વડી અદાલતે j rock લગાવેલી છે તે સામાન્ય સંજોગોમાં rock લગાવેલી છે જ્યારે ભોગ બનનાર ને લલચાવવા માં આવેલ હોય લાવવામાં આવેલ હોય કે ધમકાવવામાં આવેલું હોય ત્યારે લવજેહાદનો કાયદો અમલમાં છે જ તેના પર ગુજરાતની વડી અદાલત નો કોઈ મનાઈ હુકમ નથી.
વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે હાલના કિસ્સામાં ભોગ બનનારને ફરિયાદ દાખલ થઇ ગયા પછી પણ સામાજિક રીતે બદનામ કરી દેવાની ધમકી આપવામાં આવી રહી છે જે જોતા આરોપીના જામીન મંજુર કરવામાં આવે તો ન્યાયિક કાર્યવાહી ન ગણી શકાય. આરોપીએ પોતાની શરીરની ભુખ સંતોષવા માટે પોતાની ખોટી ઓળખ આપેલી છે પોતે પરિણીત હોવા છતાં અપરિણીત કહેલ છે અને દલીલને ખાતર માની લેવામાં આવે કે ભોગ બનનાર સાથે તેઓના કોઈ અંગત પળોના ફોટા છે તો તે ફોટા પાડવાની મંજૂરી માત્રને માત્ર અંગત ઉપયોગ માટે હોઈ શકે તેને જાહેર જનતા વચ્ચે વાયરલ કરવા માટે હોઈ શકે નહીં. આ તમામ સંજોગો જોઈ અને સરકારી વકીલ તરફથી રજૂ કરવામાં આવેલ ચુકાદાઓને ધ્યાને લઇ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલકુમાર શર્માએ આરોપીના જામીન રદ કરતાં ઠરાવ આપેલો હતો કે સરકારી વકીલની દલીલો માં વજૂદ છે અને જો આરોપીને જામીન ઉપર છોડવામાં આવશે તો તે ભોગ બનનાર માટે યોગ્ય નહીં થાય.
આ ગુનાની તપાસ કરનાર અધિકારી સાગર બાગમાર તરફથી ફોરેન્સિક સાયન્સ માં ભોગ બનનાર અને આરોપીના મોબાઇલ પર મોકલેલા નું જણાવેલ અને સાયન્ટિફિક એરપોર્ટથી તટસ્થ તપાસ થઇ રહી છે તેના તથ્યો સોગંધનામા સાથે ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજુ કરેલા.