કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિલોમીટર દૂર.
કચ્છમાં વધુ એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 39 કિલોમીટર દૂર નોંધાયુ છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે જાનહાનિના કોઇ સમાચાર નથી, પરંતુ સ્થાનિકોમાં ભૂકંપને પગલે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
મોડી રાત્રે કચ્છમાં ભૂકંપ
કચ્છમાં મોડી રાત્રે 1.09 કલાકે ભૂકંપનો આંચકો અનુભાવયો હતો. રાત્રીના સમયે અચાનક ધરા ધ્રુજતા કેટલાક લોકો ઊંઘમાંથી ઉઠીને પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ગતરાત્રીએ આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2ની નોંધાઈ છે. જ્યારે કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિમી દૂર નોંધાયું છે. હાલમાં નુકસાનના કોઇ સમાચાર નથી.
28 એપ્રિલે બનાસકાંઠામાં અનુભવાયા હતા આંચકા
બનાસકાઠામાં 28મી એપ્રિલે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભાવાયા હતા. સવારના પહોરમાં બનાસકાંઠાની ધરા ધ્રુજતા લોકો ફફડી ઉઠ્યા હતા. લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. બનાસકાંઠાના ડીસા, પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બનાસકાંઠામાં 28 એપ્રિલે અનુભવાયેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ હતી. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.