By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુબઈ એર શોમાં ભરતીય તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાઈલટનું મોત
    2 days ago
    બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકા, 10ના મોત અને 100 જેટલા ઘાયલ
    2 days ago
    બ્રાઝિલમાં ઈઘઙ30 ક્લાઇમેટ સમિટમાં ભયંકર આગ: 13 ઘાયલ
    3 days ago
    મધ્ય વિયેતનામમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 41 થયો, વધુ ભારે વરસાદની આગાહી
    3 days ago
    યુક્રેન શાંતિ યોજનામાં હસ્તાક્ષર કરો, અને કા તો સત્તા છોડો : ટ્રમ્પનું ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે દેખાવ
    1 hour ago
    ડીપફેક અને આતંકવાદમાં AIનો ઉપયોગ માનવતા માટે જોખમી: મોદી
    1 hour ago
    બદ્રીનાથમાં પારો માઈનસ 16 ડિગ્રી, ધોધ થીજી ગયો
    1 hour ago
    ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકી: 5 ગુજરાતીના મોતની આશંકા, 17થી વધુ ઘાયલ
    2 hours ago
    ભારતીય પ્રતિનિધિમંડળ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પરત લેવા ભુતાન માટે રવાના થયા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    6 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 week ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 week ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    2 weeks ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હી-મેન થયા પંચતત્વમાં વિલીન, પ્રધાનમંત્રી મોદીએ એક યુગનો અંત ગણાવ્યો
    3 hours ago
    ધર્મેન્દ્રના નિધન પર ફિલ્મ જગતમાં શોક, તેમના જીવનની અમુક વાતો તાજી કરીયે
    3 hours ago
    એક યુગનો અંત: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન
    4 hours ago
    ટ્રમ્પના પુત્રએ અનંત-રાધિકા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી
    3 days ago
    સોશિયલ મીડિયામાંથી ભારતીય ક્રિએટર્સ વર્ષે 16 હજાર કરોડ કમાયા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
ધર્મરાષ્ટ્રીય

કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?

Khaskhabar Editor
Last updated: 2025/05/06 at 1:20 PM
Khaskhabar Editor 7 months ago
Share
6 Min Read
SHARE
કૈલાશ માનસરોવર યાત્રા માટે શ્રદ્ધાળુઓ 13 મે 2025 સુધીમાં રજીસ્ટ્રેશન કરી શકશે, જાણો તમામ માહિતી
પાંચ વર્ષ પછી, કૈલાશ માનસરોવર યાત્રા ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. આ યાત્રા માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અરજી કરવાની છેલ્લી તારીખ 13 મે 2025 છે.

પાંચ વર્ષ પછી કૈલાશ માનસરોવર યાત્રા ફરી એકવાર શરુ થવા જઈ રહી છે. આ યાત્રા માટે શ્રદ્ધાળુઓ ઓનલાઈન અરજી કરી શકે છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અરજી કરવાની છેલ્લી તારીખ 13 મે 2025 છે. પહેલી યાત્રા લિપુલેખના માર્ગે 30 જૂને નવી દિલ્હીથી શરુ થશે. દર વર્ષે આશરે 900 ભારતીય શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવરની યાત્રા કરે છે.

હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન શિવ કૈલાશ માનસરોવરમાં નિવાસ કરે છે. તેનો ઉલ્લેખ ઘણા હિન્દુ ગ્રંથોમા જોવા મળે છે. અહીં સરોવરની પરિક્રમા ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

- Advertisement -

કોણ કરી શકે છે અરજી

તીર્થયાત્રી ભારતીય નાગરિક હોવો જરુરી છે.
1 સપ્ટેમ્બરના રોજ ઓછામાં ઓછા 6 મહિનાની વેલિડ ધરાવતો પાસપોર્ટ હોવો જોઈએ.
પહેલી જાન્યુઆરીના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 70 વર્ષની ઉંમર હોવી જોઈએ.
બોડી માસ ઈન્ડેક્સ (BMI)25 અથવા તેનાથી ઓછો હોવો જોઈએ.
કૈલાશ માનસરોવર યાત્રા માટે વિદેશ મંત્રાલયે નિયમ બનાવ્યા છે, જે હેઠળ સૌથી મહત્ત્વની યોગ્યતા તીર્થયાત્રી ભારતીય નાગરિક હોવો જરુરી છે.
આ યાત્રામાં વિદેશી નાગરિક અરજી કરી શકતો નથી. આ સાથે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા એટલે કે OCI કાર્ડ ધરાવતા લોકો પણ આ ટ્રીપ માટે અરજી કરી શકતા નથી.
કૈલાશ માનસરોવર યાત્રા કરવી હોય તો ઓછામાં ઓછા આટલા રૂપિયાનો ખર્ચ આવશે, જાણો અરજીની પ્રક્રિયા 2 – image

અરજી કરતી વખતે ધ્ચાનમાં રાખવાની બાબત

- Advertisement -

કૈલાશ માનસરોવરની યાત્રાનો કોમ્પ્યુટર દ્વારા લકી ડ્રો કરવામાં આવે છે. એટલે એ ખૂબ જ જરુરી છે કે, અરજી બરોબર રીતે ભરેલી હોવી જોઈએ, નહીં તો અરજી સ્વીકાર કરવામા નહીં આવે.
1 સપ્ટેમ્બરના રોજ 6 મહિનાની વેલિડિટી ધરાવતો પાસપોર્ટ હોવો જરુરી છે. આ ઉપરાંત પાસપોર્ટના પહેલા અને છેલ્લા પાનાંની કોપી હોવી જરુરી છે.
આ સાથે જે વ્યક્તિની અરજી કરવાની હોય તેની JPG ફોર્મટમાં ફોટો હોવા જોઈએ.
સૌથી મહત્ત્વની વાત કે એક એકાઉન્ટ પરથી એક જ અરજી કરી શકાશે.
ઓનલાઈન અરજીમાં પાસપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. જેમાં નામ, એડ્રેસ જેવી અન્ય વિગતો સંપૂર્ણરીતે ભરવી.

યાત્રા માટે કેવી રીતે થાય છે પસંદગી

આ યાત્રા માટે ઓનલાઈન અરજી ભર્યા પછી વિદેશ મંત્રાલય દ્વારા કોમ્પ્યુટર ડ્રો કરવામાં આવે છે.
વિદેશ મંત્રાલય ડ્રો પછી તીર્થયાત્રાના દરેક અરજદારને તેમના રજીસ્ટ્રડ ઈમેલ અને મોબાઈલ નંબર પર માહિતી આપવામાં આવે છે.
આ સિવાય કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઈન નંબર 011-23088133 પરથી માહિતી મેળવી શકે છે.
એ પછી અરજદારે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી નિયત તારીખ પહેલાં કુમાઉ મંડળ વિકાસ નિગમ અથવા સિક્કિમ પ્રવાસન વિકાસ નિગમના નિયુક્ત બેંક ખાતામાં ‘યાત્રા માટેની ફી અને ખર્ચ’ માં યાત્રાનો નિર્ધારિત ખર્ચ જમા કરાવવાનો રહેશે.
મુસાફરી ખર્ચ જમા કરાવ્યા બાદ અરજદારે દિલ્હી પહોંચતા પહેલા બેચ ઓનલાઈન કન્ફર્મ કરવી પડશે. આ પછી બેચ એલોટ માનવામાં આવે છે.
બેચ તેની યાત્રા શરૂ કરે તે પહેલાં તબીબી તપાસ થાય છે.
આ માટે યાત્રાળુએ નિર્ધારિત તારીખે દિલ્હી સ્થિત હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટમાં રિપોર્ટ કરાવવાનો રહેશે. જો આ કરવામાં ન આવે તો નામ બેચમાંથી હટાવી લેવામાં આવે છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બધા યાત્રાળુઓ માટે એકસાથે યાત્રા કરવી અને પાછા ફરવું ફરજિયાત છે. બધા પ્રવાસીઓની યાત્રા શરુ થવા માટેનું સ્થળ દિલ્હી છે.
મુસાફરી શરૂ કરતા પહેલા તમારે મંત્રાલયના નિયુક્ત અધિકારીઓને માન્ય પાસપોર્ટ, છ પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટોગ્રાફ્સ અને 100 રૂપિયાનો નોટરાઇઝ્ડ ઇન્ડેમ્નિટી બોન્ડ સબમિટ કરવો જરૂરી છે.
આ સાથે આપાતકાળની સ્થિતિમાં હેલિકોપ્ટર ખાલી કરાવવા માટે સોગંદનામું અને ચીનના ક્ષેત્રમાં મૃત્યુ પછી પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર માટે સંમતિ પત્ર આપવાનો રહેશે.
જો આમાંથી કોઈપણ દસ્તાવેજોમાં કોઈ ખામી જોવા મળશે તો, યાત્રા માટેની પરવાનગી આપવામાં આવશે નહીં.
યાત્રામાં કેટલો થશે ખર્ચ

વિદેશ મંત્રાલય દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન બે અલગ અલગ માર્ગો – લિપુલેખ પાસ (ઉત્તરાખંડ) અને નાથુ લા પાસ (સિક્કિમ) દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા કરાવવામાં આવે છે.
આ બંને માર્ગો માટે પ્રતિ વ્યક્તિ દીઠ આવતો ખર્ચ પણ અલગ-અલગ છે.
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોઈપણ ખાનગી સંસ્થા લિપુલેખ પાસ અને નાથુલાથી કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન કરતી નથી.
આ વખતે કૈલાશ માનસરોવરની યાત્રા પાંચ વર્ષ પછી થઈ રહી છે. પહેલા કોવિડ-19 મહામારી અને પછી પૂર્વી લદ્દાખમાં ભારત-ચીન સરહદી ગતિરોધને કારણે આ યાત્રા 2020-2024 સુધી ખોરવાઈ ગઈ.
યાત્રાની વેબસાઇટ મુજબ લિપુલેખ પાસથી યાત્રાનો અંદાજિત ખર્ચ 1 લાખ 74 હજાર રૂપિયા છે.
આ રૂટ પર લગભગ 200 કિલોમીટર ટ્રેકિંગ કરવું પડે છે. આ રૂટ પરથી પાંચ બેચ મોકલવામાં આવશે અને આ યાત્રા પૂર્ણ થવામાં લગભગ 22 દિવસ લાગશે.
જો કોઈ વ્યક્તિ નાથુ લા પાસ થઈને યાત્રા કરે છે, તો તેનો અંદાજિત ખર્ચ વધીને 2 લાખ 83 હજાર રૂપિયા થશે.
આ રૂટ પર લગભગ 36 કિલોમીટર ટ્રેકિંગ કરવું પડે છે. તેમજ આ રૂટ પરથી 10 બેચ મુસાફરી કરશે અને આ યાત્રા 21 દિવસમાં પૂર્ણ થશે.
ઉલ્લેખનીય છે કે, કૈલાસ માનસરોવર ભારતમાં નથી. ચીનના તિબેટમાં આવેલું છે.

You Might Also Like

દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે દેખાવ

ડીપફેક અને આતંકવાદમાં AIનો ઉપયોગ માનવતા માટે જોખમી: મોદી

બદ્રીનાથમાં પારો માઈનસ 16 ડિગ્રી, ધોધ થીજી ગયો

ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકી: 5 ગુજરાતીના મોતની આશંકા, 17થી વધુ ઘાયલ

ભારતીય પ્રતિનિધિમંડળ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પરત લેવા ભુતાન માટે રવાના થયા

TAGGED: Kailash Mansarovar Yatra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
Next Article UNSC બેઠકમાં સભ્ય દેશોએ પાકિસ્તાનના “ફોલ્સ ફ્લેગ” નેરેટિવને નકારી કાઢ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ઉપલેટા નગરપાલિકાનું સિટી સિવિક સેન્ટર અચાનક બંધ થતાં અરજદારો હેરાન

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
પાળના નકલંક મંદિર (ઠાકર દ્વારો) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તથા ભાગવત સપ્તાહનું આયોજન
રાજકોટ એસઓજીએ 179 ગ્રામ એમડી સાથે ગોધરાના પેડલર સહિત બેને ઝડપી લીધા
ઉદ્યોગનગરમાં બુટલેગરના આતંક સામે સ્થાનિકોનો ફાટી નીકળેલો રોષ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને 1500થી વધુ લોકોને યોગ ટ્રેનર બનવા આહવાન કર્યું
રાજુલાના પોલીસ કર્મચારી રવિરાજ વરૂ દ્વારા માનવતાનું જીવંત ઉદાહરણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે દેખાવ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

ડીપફેક અને આતંકવાદમાં AIનો ઉપયોગ માનવતા માટે જોખમી: મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

બદ્રીનાથમાં પારો માઈનસ 16 ડિગ્રી, ધોધ થીજી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?