સમસ્યાના ગઢથી ઘેરાયેલાં જૂનાગઢને બચાવી શકાશે ખરા?
કાળવા નદીના કાંઠે ખડકાયેલા ગેરકાયદે બાંધકામ મુદ્દાની સમસ્યા
- Advertisement -
મનપામાં પ્રથમ વખત ભાજપને વરેલા લોકોને સુકાન સોંપ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની 48 બેઠકો સાથે ભારી બહુમતી મળ્યા બાદ ગત રોજ પ્રથમ સામાન્ય બોર્ડ મળ્યું હતું જેમાં પ્રથમ વખત મહાનગર પાલિકામાં ભાજપને વરેલા લોકોને સત્તાનું સુકાન સોંપાયું છે. જેમાં મેયર તરીકે ધર્મેશ પોશીયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણી અને દંડક તરીકે કલ્પેશ અજવાણીને મહાનગર પાલિકામાં સત્તાનું સુકાન સોંપાયું છે .ત્યારે નવ નિયુક્ત બોડી માટે જૂનાગઢ સમસ્યાના અનેક પાદકરો મોં ફાડીને બેઠા છે. શહેરમાં વર્ષોથયો ગોકળ ગતિએ ચાલતી ભૂગર્ભ ગટર યોજના સાથે પાણીની લાઈનો અને ગેસ લાઈનના લીધે શહેરના હજુ અનેક બનેલા માર્ગોને તોડીને કામગીરી ચાલી રહી છે. અને પ્રજા મૂંગે મોઢે જુવે છે.ત્યારે નવ નયુક્ત બોડી સામે તૂટેલા ફાટેલા રસ્તાઓ તેમજ કાળવા નદીના કાંઠે ખડકાયેલા ગેરકાયદે બાંધકામ મુદ્દાની સમસ્યા પણ મોં ફાડીને બેઠી છે. ત્યારે સમસ્યાના ગઢથી ઘેરાયેલ જૂનાગઢને બચાવી શકાશે ખરા ? હવે જયારે જૂની બોડીના વિકાસ કર્યો નવી બોડીને સમર્પિત કરવામાં આવ્યા છે.ત્યારે નવ નયુક્ત મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સામે શહેરની અનેક સમસ્યાનો સામનો કરવો પડશે. જયારે મહાનગર પાલિકા નવનિયુક્ત ભાજપના ચૂંટાયેલ લોકોને સત્તા સોંપી છે પણ પ્રથમ વખત બનેલ મેયર અને ડે.મેયર સહીતના લોકોને ભાજપ પાર્ટી સંગઠનની ઘડ છે પણ વહીવટી પ્રક્રિયામાં એટલી હદે અજાણ હોઈ શકે ત્યારે મનપા જેને સુકાન સોંપ્યું છે તેને મનપા પૂર્વ બોડી પાસેથી શીખવું પડશે અથવા અધિકારી ઉપર મદાર રાખવો પડશે જોઈએ હવે આગામી સમયમાં શહેરના અનેક પડકારોનો સામનો કેવી રીતે કરીને જૂનાગઢનો વિકાસ કેવો થશે તે જોવાનું રહ્યું.
શહેર અને જિલ્લા ભાજપની પ્રમુખની નિમણૂંક, પણ કામગીરી શું કરવાની?
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર કરી ભાજપે બધાને ચોંકાવી દીધા હતા. બાદ મેયર અને ડે.મેયરના પદના નિમણૂકમાં નવા ચહેરા ઉતારી ફરી આંચકો આપ્યો હતો. પછી આજે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખની જાહેરાત કરતાં કાર્યકરોમાં રીતસરનો ભૂકંપ આવી ગયો છે. આ આંચકો કાર્યકરો સહન કરી શકે તેમ નથી. જિલ્લા ભાજપ પ્રમુખ પદે ચંદુભાઈ મકવાણા અને શહેર ભાજપ પ્રમુખ પદે ગૌરવ રૂપારેલિયાની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા ભાજપમાં અનુસૂચિત જાતિને પ્રાધાન્ય આપ્યું છે અને શહેર ભાજપમાં લોહાણા સમાજને મહત્વ આપ્યું છે. આ નિમણૂકથી કાર્યકરોને જરૂર આંચકો લાગ્યો છે. પરંતુ ભાજપની નીતિ સ્પષ્ટ છે. જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવશે. તે પછી જિલ્લા પંચાયતની ચૂંટણી થશે. જિલ્લા પંચાયતની ચૂંટણીને માટે ખૂબ જ સમય છે. જૂનાગઢ શહેરમાં હવે ચૂંટણી જાજી દૂર છે. માટે નવ નિયુક્ત પ્રમુખોની કાઈ ખાસ કામગીરી રહેશે નહીં. ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપવા પુરતા સીમિત રહી જશે. કદાચ ચૂંટણી પહેલા બદલાઈ જશે. પરંતુ ભાજપે બંને જ્ઞાતિ ઉપર હાથ રાખી દીધો છે. જિલ્લા ભાજપમાં તો કિરીટ પટેલનું જ ચાલશે. જોકે બન્ને પદની નિમણુંકમાં જૂના પ્રમુખોનું ચાલ્યું હોય તેવી ચર્ચા છે.
- Advertisement -
જૂનાગઢમાં અઇટઙના કાર્યકર્તાને કાપી બીજાને આપી
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે ઘણાએ એડીચોટીનું જોર લગાડ્યું હતું. પરંતુ અંતે પ્રદેશ ભાજપનું ચાલ્યું છે. ગૌરવ રૂપારેલિયા એબીવીપીના કાર્યકર્તા છે. શહેર પ્રમુખ પદે જૂના એબીવીપીના કાર્યકર્તાનું નામ ખૂબ જ ચર્ચામાં હતું. ભાજપે તેને કાપીને બીજા એબીવીપીના કાર્યકર્તાને નિમણૂક કરી છે.