મનપા દ્વારા જૂનાગઢમાં આડેધડ કામગીરીથી લોકોને મુશ્કેલી
બસ સ્ટેન્ડ રોડ પર નર્મદા પાણીની લાઈન તૂટી પણ રિપેર કર્યા વગર રોડ બન્યો
- Advertisement -
રાત્રે ડામર રોડ બનાવ્યો અને સવારે ફરી પાણી નીકળવાનું શરૂ થયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ મહાનગર પાલીકાના આડેધડ કામગીરી જોવા મળી રહી છે ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે, મનપાના ચૂંટાયેલ નેતાઓ અને અધિકરીઓ જાણે ઘોર નીંદ્રામાં હોઈ તેવું જોવા મળી રહ્યું છે. એવીજ એક અણધડ વહીવટની કામગીરી જોવા મળી છે. શહેરમાં અનેક જગ્યાએ નર્મદા પાણીની લાઈનો નાખવામાં આવી છે.ત્યારે બસ સ્ટેન્ડ રોડ પર આવેલ લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી પાસે ઘણા મહિનાઓથી નર્મદા પાણીની પાઇપ લાઈન તૂટી હોવાના કારણે પાણી રોડ પર વહી રહ્યું હોવાના લીધે રોડ પર ખાડો પાડવાની સાથે પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો હતો જયારે ખાસ ખબરમાં એહવાલ પ્રસિદ્ધ થતા તુરંત રાતોરાત રોડ બનાવી નાખ્યો પણ નર્મદા પાણીની લાઈન રીપેર કર્યા વગર જે રાત્રે ડામર રોડ બનાવ્યો તેના બીજા જ દિવસે ફરી નવા બનેલ ડામર રોડ તોડી પાણી નીકળવા માંડ્યું હતું ત્યારે આવી કામગીરી કરીને પ્રજાના પૈસા પાણીની જેમ વેડફાઈ રહ્યા છે. જૂનાગઢ શહેરમાં ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર, નર્મદા પાણીની પાઇપ લાઈન અને ગેસ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.પણ યોગ્ય રીતે મજબૂત કામગીરી નહિ થતા અને ખોદયા પછી ફરી આડેધડ બુરી દેવામાં આવે છે અને રોડ પણ નથી બનતા ત્યારે સ્થાનિક લોકો ખાડા ખબડા વાળા ખરાબ રસ્તે ચાલવા મજબુર બન્યા છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એટલેજ લોકો કહે છે કે, મહા પાલિકાની કામગીરી આડેધડ ચાલી રહી છે અને પ્રજા પીસાઈ રહી છે. મનપા કામગીરીનો બેનમૂન કામગીરીનું ઉદાહરણ જોવું હોઈ તો બસ સ્ટેન્ડ રોડ પર જે નર્મદા પાણીની પાઇપ લાઈન નાખવામાં આવી છે તે ઘણા મહિનાથી તૂટી જતા તે લાઈન માંથી પાણી બહાર નીકળી રહ્યું છે જેના લીધે રોડ તોડીને પાણી બહાર આવે છે એટલે રોડ વધુ તૂટતો જાય છે અને પાણીનો વેડફાટ પણ થાય છે.ત્યારે મનપા દ્વારા નર્મદા પાણીની લાઈન રીપેર કર્યા વગર તેની ઉપર રોડ બનાવી નાખ્યો જે દિવસે રોડ બનાવ્યો તેના બીજાજ દિવસે બનાવેલ ડામર રોડમાંથી ફરી પાણી નીકળવાનું શરુ થઇ ગયું હતું અને ફરી રોડ તૂટવાની શરૂઆત થઇ ગઈ છે.ત્યારે શહેરીજનો મહા પાલિકાના આવી અણધડ કામગીરી જોઈને રોષ વ્યક્ત કરે છે અને પ્રજાના પૈસા પાણીની જેમ વેડફાઈ રહ્યા છે.
- Advertisement -
ઝાંઝરડા રોડ પર પણ નર્મદા પાણીનું ટેસ્ટિંગમાં પાણી બહાર આવ્યું
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એસઓજી ઓફિસ સામે થોડા દિવસો અગાઉ નર્મદા પાણીની પાઇપ લાઈનનું ચેકીંગ કરવામાં આવ્યું હતું ત્યાં પણ પાણીની પાઇપ લાઈન માંથી પાણી રોડ પર આવી ગયું હતું અને જો વધારે સમય પાણી ચાલુ રાખ્યું હોત તો પાણીની લાઈન તોડીને ઊંચા ફુવારા ઉડ્યા હોત પણ ત્યાં હાજર રહેલા ટેસ્ટિંગ કર્મીઓ તુરંત પાણી બંધ કરાવતા પાણી વેહ્તું બંધ થયું હતું આજ રીતે શહેરમાં મનપા દ્વારા જે કામગીરી થઇ રહી છે તેમાં ક્યાંકને કયાંક ભ્રસ્ટ્રાચારની બુ આવી રહી છે.જેતે સમયે બરાબર ચકાસણી કરીને કામ કરવામાં આવ્યું હોત તો આજે સારી કામગીરી જોવા મળી હોત.