શહેરમાં એક સપ્તાહમાં શરદી-ઉધરસના 940, સામાન્ય તાવના 588 અને ઝાડા-ઉલટીના 245 કેસ નોંધાયા
મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા મચ્છર ઉત્પતિ સબબ 466 આસામીને નોટિસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે તેમ છતાં શહેરમાં રોગચાળાએ ભરડો લીધો હોય તેમ ડેન્ગ્યુએ ફૂંફાડો માર્યો છે. શહેરમાં ડેન્ગ્યુના 19 કેસો નોંધાયા છે આ ઉપરાંત મેલેરિયાનો પણ એક કેસ નોંધાયો છે. બીજી તરફ શરદી-ઉધરસ અને તાવના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે.
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયેલ સાપ્તાહિક રિપોર્ટ અનુસાર શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 19 અને મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. આ ઉપરાંત અન્ય રોગચાળામાં શરદી-ઉધરસના 940, સામાન્ય તાવના 588, ઝાડા-ઉલટીના 245 અને ટાઈફોઈડ તાવના પાંચ કેસો નોંધાયા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.12/8થી તા.18/8/24 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિત ની 360 ટીમો દ્વારા 1,39,933 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 4109 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
- Advertisement -
ડેંન્ગ્યૂ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 446 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 321 અને કોર્મશીયલ 145 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂા.43,000/-નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.