સંજના ફર્નિચરની બાજુમાં વાણિજ્ય હેતુની 3 માળની ઇમારત દૂર કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટ મનપાના ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ઈસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. તેમજ વોર્ડ નં.16માં વાણિજ્ય હેતુનું પણ ગેરકાયદે બાંધકામ દુર કરાયું છે. તારીખ:29-05-2025 મ્યુનીસીપલ કમિશનર તુષાર સુમેરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન તથા સીટી એન્જીનીયર એમ.આર. શ્રીવાસ્તવના નિર્દેશન હેઠળ તા.27/05/2025નાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલા વોર્ડ નં.16માં આવેલા પુનીત સોસાયટી મેઈન રોડ, સંજના ફર્નીચરની બાજુમાં, રાજકોટ ખાતે અન-અધિકૃત બાંધકામ દુર કરવા માટે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. જે તા.28/05/2025 ના રોજ સાંજે 6:30 કલાકે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
- Advertisement -
આ કાર્યવાહીમાં સ્થળની વાત કરીએ તો વોર્ડનં.16માં પુનીત સોસાયટી મેઈન રોડ, સંજના ફર્નીચરની બાજુમાં, રાજકોટ આસામી દ્વારા કરવામાં આવેલા અન-અધિકૃત વાણિજ્ય હેતુનું બાંધકામ દુર કર્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના બે માળનો સમાવેશ થાય છે. ફર્સ્ટ ફ્લોર અને સેક્ધડ ફ્લોર પર છ.ઈ.ઈ.નું બાંધકામ તેમજ થર્ડ ફ્લોર પર પતરાના શેડનું બાંધકામનો સમાવેશ થાય છે.
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા પુર્વ ઝોનના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સુરક્ષા વિભાગનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતા.