વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, તંત્રને રજૂઆત કરવામાં આવી : અકસ્માતનાં બનાવો વધ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.02
- Advertisement -
મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામથી નતાડિયા ને જોડતા માર્ગનું કામ શરૂ કરવાની માંગ ઉઠી રહી છે.મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામે થી નતાડીયા ગામ તરફ જોડતો આરસીસી રોડ ધણાં સમયથી બંધ હાલતમાં હોય વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ઝીંઝુડા ગામના સરપંચે વારંવાર લેખિત અને મૌખિક તેમજ ગામજનોએ રજૂઆત કરતા આરસીસી રોડ નું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી ગામના લોકોએ અને ખેડૂતોએ તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં તંત્ર કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોય જે તે કોન્ટ્રાક્ટર આ કામ રોડનું અધૂરું મૂકી અને હજી સુધી ત્યાં આવ્યા નથી પાછા અને જે કામ પૂર્ણ થઈ ગયેલું છે તેમની સાઇડ ઉપર માટીથી ભરવાની હોય છે તે પણ ભરવામાં આવી નથી અધવચ્ચે ડામર રોડ કરવાનો હોય છે એક કિલોમીટરનો તે પણ કરેલો નથી ગામ લોકો અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે વહેલીતકે કામગીરી શરૂ કરવાની માંગ ઉઠવા પામી છે.આ અંગે જવાબદાર અધિકારીનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે આ માર્ગને લઈ ઘણા કારણ છે રૂબરૂ આવો તો કાગળો બતાવી શકું અને વાત કરી શકું છું. આ અંગે લોકોએ કહ્યું હતું કે તંત્ર દ્રારા જે પ્રશ્ન હોય તેમનો હલ કરી ચોમાસા પહેલા આ માર્ગની કામગીરી પૂર્ણ કરવી જોઈએ.