મોટાભાગની દીકરીઓ ધોરણ 10 બાદ પોતાનો અભ્યાસ છોડી રહી છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
રાજ્ય સરકારના સૌ ભણે સૌ આગળ વધેલા સૂત્રને કેટલાક અંશે ભારે સફળતા મળી રહી છે પરંતુ જે પ્રકારે રાજ્યના સરકાર છેવાડાના ગામડાઓ સુધી પાણી સહિતની પ્રાથમિક સુવિધા પહોંચાડી રહી છે તે પ્રકારે ઉચ્ચ શિક્ષણ શરૂ કરે તે ખૂબ જ જરૂરી બની રહ્યું છે. તેવામાં મોટાભાગની દીકરીઓ માત્ર પોતાના ગામમાં ધોરણ ઉચ્ચઅભ્યાસ ક્રમની સુવિધા નહીં હોવાના લીધે અધૂરું ભણતર છોડી ઘરકામમાં લાગી જાય છે તે પ્રકારે ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે પણ કઈક આ પ્રકારની સ્થિતિ હોવાથી સ્થાનિક સરપંચ દ્વારા ધોરણ 11 ના ક્લાસ શરૂ કરવા માંગ કરી છે સરપંચ રતનસિંહ ઠાકોર દ્વારા જણાવાયું હતું કે તેઓના ગામ રાવળીયાવદર ખાતે ધોરણ 180 કેટલા વિધાર્થીઓ સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે અને આ સરકારી સ્કૂલ દરેક ક્ષેત્રે ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહી છે પરંતુ સ્કૂલની અને ગામની અભ્યાસ કરવામગરી દીકરીઓની કામનાગીબી છે કે તેઓને ધોરણ 10 બાદ અભ્યાસ માટે ધ્રાંગધ્રા સુધી જવું પડે છે જે આ દીકરીઓના માતા પિતાને પોસાય તેમ નથી સાથે જ વારંવાર યુવતીઓ અને વિધાર્થીની સાથે બનતી ઘટનાઓને લઈને હવે દીકરીઓના માતા પિતા પણ પિતાની દીકરીઓને અભ્યાસ માટે બહાર જવા દેવા માટે રાજી નથી જેના લીધે અંતે અભ્યાસ કરવાની ધગસ હોવા છતાં પણ દીકરીઓને પોતાનો એબીસ ક્રમ છોડવો પડે છે જેથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાવળીયાવદર ગામે જ ધોરણ 10 બાદનો અભ્યાસ ક્રમ શરૂ થાય તો અહીંની દીકરીઓ પણ અભ્યાસ ક્ષેત્રે આગળ વધીને દેશનું અને પરિવારનું ગૌરવ વધારી શકે તેમ છે જેને લઇ રાવળીયાવદર ગામના સરપંચ દ્વારા ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના ક્લાસ શરૂ કરવાની લેખિત માંગ કરાઈ છે.