શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન ટીમ દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરાઇ
વડોદરા, સુરત, અમદાવાદ, જામનગર ખાતે કાર્યરત જયારે રાજકોટ અને ભાવનગરમાં નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પીટલ સાથે સંકળાયોલી મેડીકલ કોલેજમાં આઇએચબીટી (ઇમ્યુનો હેમેટોલોજી બ્લડ ટ્રાન્સફ્યુઝ) વિભાગ ચાલુ કરવા તેમજ જરૂરીયાતમંદ દર્દીઓ માટેની બ્લડ બેંકમાં ઉપયોગી સાધનો વહેલી તકે ફાળવવાની શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય મંત્રી ત્રષિકેશ પટેલને રજૂઆત કરવામાં આવી છે. રાજકોટએ સમગ્ર સૌરાષ્ટ્રના કેન્દ્રસ્થાને રહ્યુ હોવાથી અકસ્માતના સંજોગોમાં અહી લોહીની જરૂરીયાત વધુ રહે છે. અહીં 500થી વધુ થેલેસેમિયાના દર્દીઓને દર મહિને બ્લડ પૂરૂ પાડવામાં આવે છે. ઉપરાંત અહીંની બ્લડબેંક સાથે 12 બ્લડ સ્ટોરેજ યુનિટ સંકળાયેલા હોવાથી અંતરિયાળ વિસ્તારમાં બ્લડની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. તાજેતરમાં અહીં ન્યૂરો સર્જરી અને પ્લાસ્ટીક સર્જરી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પણ બ્લડની વધારે જરૂર પડે છે.
સુપર સ્પેશિયાલીટી વિભાગમાં હાલ ડીએનબી કોર્ષ કાર્યરત છે. આ સંસ્થા ખાતે ભવિષ્યમાં અંગ પ્રત્યારોપણ (કિડની, લીવર તથા બોનમેરો)ની સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટે ખાસ જરૂરીયાત છે. હાલ ગુજરાત રાજ્ય ખાતે સરકારી મેડીકલ કોલેજોમાં ઈંઇંઇઝ વિભાગ સક્રિય છે. વડોદરા સુરત, અમદાવાદ, જામનગર ખાતે કાર્યરત છે. રાજકોટ અને ભાવનગર ખાતે કાર્યરત નથી. ભવિષ્યમાં આ સંસ્થા ખાતે IHBT વિભાગ કાર્યરત કરવાથી તેમા અનુસ્નાતક અભ્યાસ પણ ચાલુ કરી શકાય તથા બલ્ડ બને ઈમ્યુનિટી ઇમ્યુનોલોજી વિષયમાં વિશેષ સંસાધનની તકો રહે, IHBTવિભાગથી નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા બ્લડ અને બ્લડ પ્રોડકશન અંગે તથા અંગ પ્રત્યારોપણ વાળા દર્દીઓને વધુ કાર્યક્ષમ સવલતો ઉપલબ્ધ થઈ શકે.
આ તકે એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.કાર્તિક શાહને પણ રજૂઆત કરવામાં આવી છે. તેમને આ અંગે ટૂંક સમયમાં મંજૂરી મળે તેવી બાંહેધરી પણ આપી છે. આ તકે યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાને પણ રજુઆત કરવામાં આવી છે. તેઓએ બાહેંધરી આપી છે કે ટૂંક સમયમાં કારોબારીની મિટીંગમાં આ પ્રશ્નને ધ્યાને લઇ તાત્કાલીક ધોરણે મંજૂરી આપવામાં આવશે. રાજકોટ ધારાસભ્યની ગ્રાંટમાંથી પણ સિવિલ હોસ્પિટલમાં ઘટતા સાધનોની મદદ કરવામાં આવશે. આ રજૂઆતમાં કરુણા ફાઉન્ડેશનના મિતલ ખેતાણી સહિતનાનો સહકાર મળ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી છેલ્લા ઘણાં વર્ષોથી રાજકોટ સિવિલ તેમજ ગુજરાતની લગભગ સિવિલ બ્લડબેંકના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોય છે. તાજેતરમાં જ દાતાઓના સહયોગથી રાજકોટ સિવિલમાં ક. છ. મશીન તેમજ કમ્પોનેટ મશીન અર્પણ કરવામાં આવ્યુ છે.