વેકેશન દરમિયાન શરૂ કરેલી બસ કાયમી શરૂ રાખતા પેસેન્જરોને રાહત મળશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
ગુજરાત એસ ટી વિભાગ દ્વારા હાલ વેકેશનને ધ્યાને લઈ ચોટીલા બોટાદ સુધીની બસ સેવા શરૂ કરી છે જેમાં વેકેશન દરમિયાન ચોટીલા ખાતે આવેલા ચામુંડા માતાજીના દર્શને જતા પેસેન્જરોને તકલીફ ન પડે તેવા હેતુથી બસની સેવા શરૂ કરી છે પરંતુ તમામ લોકો દ્વારા આ બસ સેવા માટે વેકેશન માટે જ નહીં કાયમ માટે શરૂ રાખવા માંગ કરાઈ છે કારણ કે બોટાદથી ચોટીલા રૂટની બસ સેવા શરૂ થતાં પાળીયાદ, દેવગઢ, નોલી, ખીટલા, સુદામડા, સાયલા સહિતના ગામોમાં રહેતા સ્થાનિકોને બોટાદ અને ચોટીલા આવવા જવા માટે સરળતા રહે છે જેના લીધે ગુજરાત એસ ટી વિભાગને ચોટીલા – બોટાદની બસ કાયમ શરૂ રાખવા માટે માંગ કરાઈ છે.