વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓ ભ્રષ્ટાચારની પરિભાષા શીખી ગયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
રાજ્ય સરકાર દ્વારા દરેક સરકારી કર્મચારીઓને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી એક જ સ્થળે ફરજ બજાવ્યા બાદ બદલી કરવામાં આવે છે જેનું મુખ્ય કારણ ભ્રષ્ટાચારને નિવારવા માટે છે પરંતુ આ સાથે સરકારે મોટાભાગની સરકારી કચેરીઓમાં કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરી મોટાભાગનું કામગીરી કરાર આધારિત કર્મચારીઓ થકી થતી હોય છે તેવામાં ધ્રાંગધ્રા સેવા સદન ખાતે દરેક વિભાગમાં કરાર આધારિત કર્મચારીઓ થકી જ કામ ચલાય છે અને એમાંય મોટાભાગે દરેક વિભાગનું કામ આ કરાર આધારિત કર્મચારીઓ જ ચલાવતા હોય છે પરંતુ ધ્રાંગધ્રા સેવા સદન ખાતે આ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવતા હોવાના લીધે હવે પેધી ગયા છે અને પોતાના એજન્ટ મારફતે ભ્રષ્ટાચાર કરતા હોવાની રાવ ઉઠવા પામી છે.
- Advertisement -
જેમાં ધ્રાંગધ્રા સેવા સદન ખાતે કરાર આધારિત કર્મચારીઓ અરજદારોને કોઈને કોઈ પ્રકારે હેરાન પરેશાન કરી બાદમાં પોતાના એજન્ટો પાસે સાથે અરજદારનો સંપર્ક કરાવી દામ આપ્યા વગર કામ કરતા નહીં થયા હોવાનો અથવા તો એજન્ટ મારફતે અરજદારો કામ લઈને આવે તો જ એક ધક્કે કામ પૂર્ણ થાય તેવો આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં જ સેવા સદનમાં થતા ભ્રષ્ટાચાર થવાની રજૂઆતને લીધે લીધે લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા પડાવ નાખ્યા હતા જોકે એસીબી વિભાગ હોવાની વાત અગાઉથી જ સેવા સદન પરિસરમાં પ્રસરી જતા લાંચિયા કર્મચારીઓ સાવચેત થયા હતા જેથી એસીબીના ઝપટે કોઈ ચડ્યું નથી પરંતુ આ રજૂઆત પરથી સાબિત થાય છે કે કરાર આધારિત કર્મચારીઓ થકી ચાલતા ધ્રાંગધ્રા સેવા સદનમાં ભ્રષ્ટાચાર થાય છે તે પાક્કું છે જેના લીધે આ વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓની બદલી થાય તેવી પણ માંગ ઉઠવા પામી છે.