દિલ્હીની ઘટના પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, મોટો દંડ ફટકાર્યો
કૉચિંગ સેન્ટરો વિદ્યાર્થીઓને જોખમમાં મૂકે છે; કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ: SC
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
27 જુલાઈના રોજ દિલ્હીના રાઉ ઈંઅજ કોચિંગના ભોંયરામાં આવેલી લાઈબ્રેરીમાં પાણી ભરાઈ જવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (IAS)ને નોટિસ પાઠવી છે. કોર્ટે કહ્યું- સરકારે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં સુરક્ષાના તમામ પગલાં અંગે માર્ગદર્શિકા જારી કરવી જોઈએ. દેશના ખૂણે-ખૂણેથી બાળકો દિલ્હીમાં ભણવા આવે છે અને આ સંસ્થાઓ મૃત્યુ ખંડ બની ગઈ છે.
હકીકતમાં, કોચિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની અપીલ પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. કોચિંગ ફેડરેશને મુખર્જી નગરમાં કોચિંગ સંસ્થાઓમાં સલામતી ધોરણોના અભાવ અંગે અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટ પહેલા દિલ્હી કોચિંગ અકસ્માત મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. 2 ઓગસ્ટે કોર્ટે આ કેસની તપાસ ઈઇઈંને સોંપી હતી. સેન્ટ્રલ વિજિલન્સ કમિટીના અધિકારીઓ દ્વારા તપાસ પર નજર રાખવામાં આવશે. કોર્ટે કહ્યું કે, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે લોકો તપાસ પર શંકા ન કરે અને ભ્રષ્ટાચારમાં સરકારી કર્મચારીઓની સંડોવણીને કારણે તપાસને પણ અસર ન થાય.
- Advertisement -
હાઈકોર્ટે દિલ્હી પોલીસને પૂછ્યું કે, તમે રસ્તા પર ચાલતા વ્યક્તિની કેવી રીતે ધરપકડ કરી શકો છો? તમારે માફી માગવી જોઈએ. જ્યારે તમે ગુનેગારની ધરપકડ કરો ત્યારે જ પોલીસનું સન્માન થાય છે, નિર્દોષની નહીં. જો તમે કોઈ નિર્દોષ (મનુજ કથુરિયા)ની ધરપકડ કરો અને દોષિતોને છોડી દો તો તે દુ:ખદ છે. તે સારું છે કે તમે પાણીનું બિલ ચૂકવ્યું નથી. કોર્ટના ઠપકા બાદ દિલ્હી પોલીસે માફી માગી હતી.
27 જુલાઈના રોજ દિલ્હીના રાઉ ઈંઅજ કોચિંગના ભોંયરામાં આવેલી લાઈબ્રેરીમાં પાણી ભરાઈ જવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. ઘટનાના દિવસે પોલીસે મનુજ કથુરિયાની ધરપકડ કરી હતી, જે એક જઞટમાં કોચિંગ સેન્ટરથી નીકળી રહ્યો હતો. આરોપ હતો કે વાહન નીકળવાને કારણે પાણીનું દબાણ વધી ગયું અને કોચિંગની અંદર પાણી ઘૂસી ગયું. જોકે, કાર ચલાવી રહેલા મનુજને 1 ઓગસ્ટે જામીન મળી ગયા હતા.



