કૂવામાં ફેંકી લાશ, બાવળમાં મળ્યો કંકાલ: ખમીદાણાની હચમચાવી દેનારી ઘટના
વરદી પાછળનો સંઘર્ષ, જનતા પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતી જૂનાગઢ રેન્જ પોલીસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેશોદ તાલુકાના ખમીદાણા ગામેથી 7 જૂન 2025ના રોજ રહસ્યમય રીતે ગુમ થયેલા વૃદ્ધા સુમરીબેન ઉર્ફે મણીબેન બારૈયા (ઉ.વ. 65) ના કેસમાં ખૂન અને લૂંટનો ચોંકાવનારો ભેદ ઉકેલી જૂનાગઢ રેન્જ પોલીસે પોતાની વ્યાવસાયિક નિષ્ઠા અને ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રારંભે ગુમશુદા તરીકે નોંધાયેલા આ કેસ પાછળ ક્રૂર હત્યાની ઘટના છુપાયેલી હોવાની આશંકાએ તપાસને વધુ જટિલ બનાવી હતી. પોલીસ ટીમે દિવસ-રાત એક કરીને અંદાજે 500થી વધુ લોકોની પૂછપરછ કરી, ટેકનિકલ અને મેદાની તપાસને સમાંતર રીતે આગળ ધપાવી. ઙઈં સી. વી. નાયકના કુશળ માર્ગદર્શન હેઠળ સમગ્ર તપાસની વ્યૂહરચના ઘડાઈ હતી. ઙજઈં બી. ડી. માવદિયાએ ગુમસુદા કેસને ગંભીર દૃષ્ટિકોણથી તપાસવાનો પ્રથમ વિચાર આપ્યો અને સતત સક્રિય રહ્યા. આરોપી મહેશ વ્યાસના વર્તન અને બોડી લેન્ગવેજ પરથી શંકા જતા સમગ્ર કેસમાં ભેદ ઉકેલવામાં ઙજઈં જી. કે. ઠાકરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જ્યારે ઙજઈં ડી. બી. ખેરે ટેકનિકલ તપાસ અને ભૂગોળીય પરિસ્થિતિનું સચોટ વિશ્ર્લેષણ કર્યું. અજઈં ગીરૂભા વાઘેલાના અનુભવ અને દીર્ઘદૃષ્ટિથી આરોપીની કબૂલાત તરફ તપાસ વળી. લાશ ન મળતી હોવા છતાં મળેલા એક મહત્વના ફોન કોલના આધારે કૂવાથી 100 મીટર દૂર બાવળની ઝાળીમાંમાંથી ગુમસુદા માજીનું કંકાલ શોધવામાં સફળતા મળી.
ઙઈ પ્રવીણસિંહ મોરીએ પૂછપરછ દ્વારા સત્ય બહાર લાવવામાં આધારસ્તંભની ભૂમિકા ભજવી, જ્યારે ભાવેશભાઈ પીઠયાએ ડ્રાઈવર અને સક્રિય સહયોગી તરીકે ટીમને સતત મજબૂત સહકાર આપ્યો. ઙજઈં સી. એમ. ચાવડા અને ભનુભાઈ ઓડેદરાએ સફળતા બાદની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તપાસના 17 દિવસ દરમિયાન પોલીસ સ્ટાફ સાંજ-સવાર જોયા વગર ગામમાં જ રહ્યો હતો. ઘણીવખત જમવાનો સમય ન મળતા પોલીસે ગાંઠિયા, વેફર અને બિસ્કીટ ખાઈને પણ પોતાની ફરજ બજાવી હતી. આ ઝીણવટભરી તપાસને કારણે જ આજે ગુનેગાર પાંજરે પુરાયો છે. આ સમગ્ર કાર્યવાહી માત્ર એક કેસનો ભેદ ઉકેલવાની નહીં, પરંતુ કર્તવ્ય અને શિસ્ત એ જ અમારી ઓળખના સૂત્રને સાકાર કરતી પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરી તરીકે યાદગાર બની છે. તપાસ કરનાર ટીમમાં ઙઈં સી. વી. નાયક, ઙજઈં બી. ડી. માવદિયા, ઙજઈં ડી. બી. ખેર, ઙજઈં જી. કે. ઠાકર, ઙજઈં સી. એમ. ચાવડા, અજઈં ગીરૂભા વાઘેલા, હેડ પોલીસ કોન્સટેબલ ભનુભાઈ ઓડેદરા, હેડ પોલીસ કોન્સટેબલ રમેશભાઇ શીંગરખીયા, હેડ પોલીસ કોન્સટેબલ સંજયસિંહ ઝાલા, ઙઈ પ્રવીણસિંહ મોરી, ઙઈ જગદીશભાઇ ખટારીયા, ટેક્નીકલ ઓપરેટર વિશાલભાઇ જોશી અને ડ્રાઈવર ભાવેશભાઈ પીઠયા જોડાયા હતા.
પૂજારીના ફોનમાંથી અશ્ર્લિલ વિડીયો અને મંદિરે આવતી અનેક મહિલાનાં ફોટા મળી આવ્યા
- Advertisement -
ભક્તિની આડમાં વિકૃત માનસ ધરાવનાર પૂજારીનો પર્દાફાશ
પોલીસ ટીમે દિવસ-રાત એક કરીને અંદાજે 450થી વધુ લોકોની પૂછપરછ કરી
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધા રામદેબેન સુમરીબેન ઉર્ફે મણીબેનને સંતાન ન હોવાથી ભાઇની દિકરીને ખોળે બેસાડી હતી. દિકરીના લગ્ન કારેજ ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. એટલે વૃધ્ધ દંપતી થોડા દિવસ દિકરીને ત્યાં થોડા દિવસ ખમીદાણા રહી જીવન પસાર કરી રહ્યા હતા. પરંતુ એક દિવસ મૃતક સુમરીબેનના પતિને પ્રોસ્ટેટનું કેન્સર હોવાનું નિદાન થયુ. હવે સ્થિતિ ત્યાં સુધી પહોંચી કે તેમનું ઓપરેશન કરવું પડે તેમ હતું. એટલે ડોક્ટરના કહેવા મુજબ જો આયુષ્યમાન કાર્ડ હોય તો તે ઓપરેશન નિ:શુલ્ક થઇ શકે. તે માટે સુમરીબેને નક્કી કર્યું કે કાર્ડ કઢાવી લઇ અને પતિને કારેજ રહેતી દિકરીને ત્યાં સંભાળ માટે રાખ્યા અને પોતે એકલા ખમીદાણા ગામ કાર્ડ કઢાવવા માટે પહોંચ્યા. વૃધ્ધા સુમરીબેન જ્યાં રહે છે તેમની સામે એક મંદિર આવેલું છે. તે મંદિરમાં એક પૂજારી પરિવાર રહે છે. વૃધ્ધા નવરાશના સમયે ત્યાં મંદિરે ભક્તિ કરવા જતા એટલે પૂજારી પરિવાર સારી રીતે એકબીજાને ઓળખતા હતા.
કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં રહેતી 70 વર્ષીય વૃદ્ધા સુમરીબેન રામદેવભાઈ બારીયા રહસ્યમય રીતે ગુમ થયા. ગુમ થતા સમયે તેમના પાસે અંદાજે 15 તોલા સોનું અને રૂ.2 લાખ રોકડ રકમ હતી, તેમ પરિવારજનોએ જણાવ્યું છે. ખૂબ પ્રયાસો બાદ પણ કોઈ પતો નહીં મળતા હવે આ કેસને લઇને અપહરણ કે હત્યા જેવી ગંભીર આશંકાઓ જન્મી હતી. પોલીસે મોબાઇલ લોકેશન, ટેકનિકલ એનાલિસિસ, તેમજ હોસ્પિટલ આસપાસના ઈઈઝટ કેમેરાઓ ચેક કર્યા છે. તેમ છતાં કોઈ ચોક્કસ સંકેત મળ્યો ન હતો. ઘટનાને છ મહિનાનો સમય પસાર થઇ ગયો હતો. આ દરમિયાન ઙજઈં બી.ડી.માવદીયા પોતાના વતન ગયા ત્યારે તેમના પરિવાર દ્વારા જાણવા મળ્યુ કે સુમરીબેન રહસ્યમય રીતે ગૂમ થઇ ગયા છે. આ વાત જાણ્યા બાદ વણશોધાયેલા ગુમ કેસ શોધવાનો પ્રથમ વિચાર આવ્યો. તેમને પોતાના ઉચ્ચ અધિકારીને સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું ત્યારબાદ મંજૂરી મળતા એક ટીમની રચના કરવામાં આવી. આ ટીમે 17 જાન્યુઆરીથી તપાસ કરવાનું શરૂ કર્યું. પરંતુ સૌથી મોટો પડકાર કે ગામમાં કોઇ સીસીટીવી નહીં, ગુમસુદા વૃધ્ધાનો ફોન પણ હાથ ન લાગ્યો અને સૌથી મહત્વનું કે તેમનો ફોન ગુમ થયાના દિવસે જ ખરાબ થઇ ગયો હતો તેવું તેમની દિકરીએ જણાવ્યુ હતું.
પોલીસે ખમીદાણ અને આસપાસના 450 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મંદિરમાં પૂજા કરનાર પૂજારી મહેશ મુકેશભાઈ વ્યાસના વર્તન પર શંકા ગઈ હતી. પાંચ કલાકની સઘન પૂછપરછ અને યુક્તિ-પ્રયુક્તિ બાદ પૂજારીએ વૃધ્ધાની હત્યા અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યાનો ગુનો કબુલ્યો હતો અને લાશને કૂવામાં ફેંકી દીધી હતી તેમ જણાવ્યુ હતુ. આમ ટીમે 15 દિવસમાં સમગ્ર કેસનો ભેદ ઉકેલી નાખ્યો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, સુમરીબેન જ્યારે હોસ્પિટલથી પરત ફરી રહ્યા હતા, ત્યારે પૂજારીએ પાણી પીવાના બહાને ઘરે બોલાવ્યા હતા અને હત્યા કરી લૂંટી લીધા હતા. વૃધ્ધા પોતાની સાથે હંમેશા 15 તોલા સોનું અને રોકડ રાખતા હતા. જેની જાણ આરોપી પૂજારીને હતી. પૂજારીએ વિશ્ર્વાસઘાત કરીને તેમની હત્યા કરી નાખી હતી. પોલીસની ટીમે ભક્તિની આડમાં વિકૃત માનસ ધરાવનાર પૂજારીનો પર્દાફાશ કરી નાખ્યો હતો. આ ઉપરાંત તપાસ કરનાર ટીમ દ્વારા જાણવા મળ્યુ છે કે પૂજારીના ફોનમાંથી અશ્ર્લીલ વીડિયો અને મંદિર આવતા અનેક મહિલાઓના ફોટા મળી આવ્યા છે. તેમજ પૂજારીએ કબૂલાતમાં તેમણે વૃધ્ધાની હત્યા બાદ લૂંટ કરેલ 20 હજાર રોકડ રકમ તેણે ખર્ચી નાખી હોવાનું જણાવ્યું હતું.



