શું મનપા તંત્ર અકસ્માત થશે પછી જ હોર્ડિંગ્સ ઉતારવાની કાર્યવાહી કરશે ?
ચોમાસાની ઋતુ ચાલી રહી છે ભારે પવન અને વરસાદને લઈને ગમે ત્યારે રોડ રસ્તા પર મસમોટા હોર્ડિંગ્સ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા નથી. હજુ તો ગત રવિવારે જ ભારે પવનના લીધે રૈયા રોડ પર એક તોતિંગ હોર્ડિંગ્સ ધડાકાભેર ધરાશાયી થયું હતું જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
- Advertisement -
ત્યારે હજુ પણ શહેરના મુખ્યમાર્ગો જેવા કે, કિસાનપરા ચોક, મહિલા કોલેજ અંડરબ્રિજ પર મસમોટા હોર્ડિંગ્સ મોતના માંચડા સમાન ઉભા છે હવામાન વિભાગે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે મનપા તંત્ર કોઈ અકસ્માત થાય અને જાનહાનિ થાય તેની શું રાહ જોઈ રહ્યા છે.
- Advertisement -
મનપા તંત્ર પ્રાઈમ લોકેશન પર હોર્ડિંગ્સ ઉભા દર વર્ષે કરોડોની આવક મેળવે છે ત્યારે પૈસાની લાલચે મનપા તંત્ર લોકોના જીવને જોખમમાં મુકી રહ્યા છે.