ખાસ-ખબર સંવાદદાતા
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તો માટે બરફના શિવલીંગના દર્શનનું અનેરુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો તેમજ ફરાળ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તે ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના અભિષેક માટે ભક્તજનો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ તકે રામધન આશ્રમના રત્નેશ્વરીદેવી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, રઘુવંશી અગ્રણી કીશોરભાઈ ચંડીભમર, નૈમિષભાઈ પંડિત સહીતનાઓની પ્રેરક ઉપસ્થિતીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તો માટે બરફના શિવલીંગના દર્શનનું અનેરુ આયોજન કરાયું હતું.
મોરબીના જલિયાણેશ્વર મહાદેવ મંદિરે બરફના શિવલિંગના દર્શન યોજાયા
