સુરેન્દ્રનગર મનપામાં સમાવેશ છતાં પીવાના પાણીની “અ”
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણના આજુબાજુ ગામોને મહાનગરપાલિકામાં મર્જ કરી વિસ્તારને વધુ વિકસિત બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આ તરફ વઢવાણના મૂળચંદ ગામને પણ મહા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ મૂળચંદ ગામના સ્થાનિકોને જીવન જરૂરિયાત ગણાતા પીવાના પાણી માટે પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે હજુતો ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં દર વીસ દિવસે પાણી નશીબ થાય છે અને આ પ્રકારની સ્થિતિ દર ઉનાળે ઉદભવ થાય છે જે અંગે તંત્રને વારંવાર રજૂઆત કરાઈ છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારે દરકાર લેવાતી નથી જેના લીધે અહીંના રહીશોને પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે મહા નગરપાલિકામાં સમાવેશ કરતા હવે પ્રાથમિક સુવિધા પણ મનપા જેવી આપે તેવી તંત્ર પાસે સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે.