એસીપી પ્રદ્યુમન, ઈન્સ્પેકટર દયા અને અભિજીતના રોલમાં જુના એકટર્સ યથાવત
ટેલિવિઝન પર સૌથી વધારે સમય ચાલનારા શો તરીકે જાણીતી CIDને હજુ પણ યાદ કરવામાં આવે છે. ક્રાઈમ થ્રિલરનો પાયો નાખવામાં આ શોનો મોટો રોલ છે. એસીપી પ્રદ્યુમન જ્યારે કહે છે, દયા કુછ તો ગરબડ હૈ…દરેકની નજર કોઈ ટ્વિસ્ટને શોધતી થઈ જાય છે. ઉતાર-ચડાવ વચ્ચે ફેમિલી એન્ટરટેઈનમેન્ટ આપતી આ સિરિયલ ક્રિસમસથી ટીવીના પડદે ફરી આગમન કરે તેવી શક્યતા છે.
- Advertisement -
View this post on Instagram
સોની એન્ટરટેઈનમેન્ટ નેટવર્કે થોડા સમય પહેલા એસીપી પ્રદ્યુમનના રોલમાં શિવાજી સાટમને દર્શાવતું ટીઝર શેર કર્યું હતું. જેના કારણે ઓડિયન્સની ઉત્સુકતા વધી છે. આ મામલે સૂત્રોના જણાવ્યા મુજબ, એસીપીની સાથે ઈન્સ્પેક્ટર દયા અને અભિજિત પણ પાછા ફરી રહ્યા છે. નવેમ્બર મહિનાથી આ સિરિયલનું શૂટિંગ શરૂ થશે અને ક્રિસમસથી તેને ટીવી પર પ્રસારિત કરાશે. વેબ સિરીઝમાં ક્રાઈમ થ્રિલરની ભરમાર વચ્ચે પણ CIDની ડીમાન્ડ યથાવત રહી છે. ઓડિયન્સની રજૂઆતના પગલે આ ખાલીપો પૂરવા નિર્ણય લેવાયો છે.
છ વર્ષથી CIDની ટીમ ટીવી પર જોવા મળી નથી. આટલા વર્ષોમાં ઓડિયન્સના રસ-રૂચિ અને ટેકનોલોજીમાં ઘણાં ફેરફાર આવ્યાં છે. નવા જમાના અને રસ-રૂચિને ધ્યાને રાખીને CIDના નવા એપિસોડ લખાયા છે. નવી શરૂઆત કરતી વખતે સ્ટોરી નવી હશે, પરંતુ કાસ્ટને જૂની રખાઈ છે. શિવાજી સાટમની સાથે આદિત્ય શ્રીવાસ્તવ અને દયાનંદ શેટ્ટી પોતાન જૂના રોલમાં જ જોવા મળશે.
- Advertisement -
મુંબઈના સ્ટુડિયોમાં તેનો સેટ બની રહ્યો છે અને દેવ દિવાળીથી તેનું શૂટિંગ શરૂ કરવાનું આયોજન છે. ક્રિસમસ અથવા 31 ડિસેમ્બરે પહેલો એપિસોડ ટેલિકાસ્ટ કરવાના પ્રયાસ છે. શૂટિંગ શરૂ થયાં પછી તેનું પ્રમોશન શરૂ થશે અને સિરિયલ ફરી શરૂ થવાની તારીખ પણ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે, ટીવીના પડદા પર CID 20 વર્ષ સુધી પ્રસારિત થઈ હતી. તેના કુલ 1547 એપિસોડ પ્રસારિત થયા હતા. છેલ્લે 2018માં તેને ઓફ એર કરાઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં ટીવી પર સૌથી વધ ચાલેલી ટીવી સિરિયલ તરીકે તેનું નામ થઈ ગયું હતું.