ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગુજસીટોકમાં જામીન રદ થયા બાદ નાસતા ફરતા ભીસ્તીવાડના કુખ્યાત એઝાઝ ઉર્ફે ટકો અકબર ઉર્ફે હકુભા ખીયાણી ઉ.40ને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ પ્ર.નગર પોલીસને સોંપી દીધો હતો કુખ્યાત શખ્સ સામે જુદા-જુદા પોલીસ મથકમાં 11 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.
- Advertisement -
રાજકોટના પ્ર.નગર પોલીસ મથકમાં 2020માં ઉર્ફે ટકો સહિતના આરોપીઓ વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જેમાં તેના સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન રદ કરી સીઆરપીસીની કલમ 70 મુજબનું વોરંટ ઈશ્યુ કર્યું હતું જેને લીધે તે પોલીસ પકડથી બચવા ઘણાં સમયથી નાસતો ફરતો હતો અને પોલીસ તેને શોધતી હતી આખરે ક્રાઈમ બ્રાંચ પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમને મળેલી બાતમી આધારે પીએસઆઈ એમ.કે. મોવલીયાએ તેને ભાવનગર રોડ પરથી ઝડપી લીધો હતો. તેના વિરૂધ્ધ ગુજસીટોક ઉપરાંત અપહરણ, મારામારી, જુગારધારા સહિત 11 જેટલા ગુના પોલીસ મથકમાં નોંધાયેલા છે.