ધંધાદારી સ્કૂલ સંચાલકો પર કડકાઈપૂર્વક કાર્યવાહી બાબતે કોંગ્રેસ આક્રમક
રાજકોટમાં શિક્ષણની કથળતી સ્થિતિ અંગે રજૂઆતનો સમય ના મળે તે લોકશાહી માટે શરમજનક : રોહિતસિંહ રાજપુત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વેકેશન હવે ખુલવાના આરે છે ત્યારે રાજકોટની વિદ્યાર્થીઓના વાલીઓનો સળગતો પ્રશ્ન કે સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓને યુનિફોર્મ- સ્ટેશનરીને લગતી વસ્તુઓ ચોક્કસ સ્થળ પરથી ખરીદવા ફરજ પાડે છે. કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે આ મુદે છેલ્લા અઠવાડિયાથી સતત વિરોધ નોંધાવ્યો છે અને ધંધાદારી સ્કૂલો પર અસરકારક કાર્યવાહી કરવા માંગ કરતા આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ માત્ર નોટિસમા સંતોષ માણતા આ મુદે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળે બે દિવસ પહેલા મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને રજૂઆત માટે સમય ફાળવવા અંગે માંગ કરી હતી જો કે તેઓને સમય ના ફાળવતા આજે વિદ્યાર્થી પ્રતિનિધિઓ કાર્યક્રમ સ્થળ પર વિરોધ માટે પહોંચતા પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના લડાયક નેતા રોહિતસિંહ રાજપુત સહિત પાંચની અટકાયત કરી લીધી હતી.મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડેટિરિયમ યોજાનાર હતો જેથી કાર્યક્રમ સ્થળની સાવ નજીક પહોંચેલા કોંગ્રેસના વિદ્યાર્થીનેતાઓની ક્રાઇમબ્રાંચે અટકાવતા સામ સામે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા ને થોડો સમય સાધુવાસવાણી રોડ પર લોકોના ટોળે ટોળા એકઠા થતા ટ્રાફિક સર્જાયો હતો. જો કે કોંગ્રેસના આ આક્રમકતા ભર્યા વિરોધની આખા ગુજરાતે નોંધ લેતા શિક્ષણમાફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
આ અંગે કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહે જણાવ્યુ હતુ કે અમે લોકશાહી ઢબે રાજકોટના વિદ્યાર્થીઓના વાલીઓની વ્યથાઓ બાબતે મુખ્યમંત્રીશ્રીનો સમય માંગ્યો હતો પરંતુ અમને સમય ફાળવ્યો નોહતો તે લોકશાહી માટે દુ:ખદ બાબત કહેવાય.રાજકોટમા શિક્ષણમાફિયાઓ બેફામ બન્યા છે અને વિદ્યાર્થીઓના વાલીઓ આ મુદે ત્રસ્ત છે તેમ છતાં શિક્ષણવિભાગ અસરકારક કાર્યવાહી નથી કરી રહ્યું એટલે અમે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કે મુખ્યમંત્રીશ્રી અમને બે મિનિટ સાંભળી લેશે તો પણ વાલીઓને ઘણી રાહતરૂપ કામગીરી તંત્ર કરશે.રાજકોટમાં શિક્ષણની પરિસ્થિત ખાડે ગઈ છે જેમ કે શહેર જિલ્લામાં કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીઓ નથી,ધંધાદારી સ્કૂલ સંચાલકોને કોઈ કહેનારું નથી એટલે મનફાવે તેમ ધંધો ચાલુ કરવા,સ્કૂલોની ફી બેફામ વધારાઓ અને ફી નિયંત્રણ સમિતિની લાલીયાવાડીઓ સામે આવે છે. આમ શિક્ષણનુ ખાનગીકરણ કરવામા જ સરકારને રસ હોય તેમ જાણી જોઈને આ તમામ પ્રકારની બાબતોમા કોઈ ગંભીરતા દાખવતા ના હોય તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા .વધુમા તેઓએ જણાવ્યુ હતુ કે સરકારની નિયતમા ખોટ હોય તો જ તેથી જ શિક્ષણમાફિયોને વિદ્યાર્થીઓને કમાવાનું સાધન સમજી બેઠા હોય છે. પોલીસતંત્રને આગળ કરીને ભાજપ સરકારે રાજકોટના વિદ્યાર્થીઓનો અવાજ દબાવ્યો છે તે ખૂબ જ શરમજનક છે. આવનારા સમયમાં અમે વિદ્યાર્થીઓના પડખે ઊભા રહીને શિક્ષણમાફિયાઓની શાન ઠેકાણે લાવીને જ રહીશું.પોલીસે કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાન રોહિતસિંહ રાજપુત,હેત પટેલ,પ્રશીલ રાજદેવ,જીત સોની,રોનક રવૈયા,યશ ભીંડોરાની અટકાયત કરી હતી.