ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આત્મીય સંકુલની અંદર ગોપાષ્ટમીના દિવસે ગાય પૂજનનો કાર્યક્રમ આત્મીય સંકુલની ગૌશાળા ખાતે યોજવામાં આવ્યો હતો. ગાયને ચાંદલા કરી ગાયની પૂજા કરી ઉજવણી કરવામાં આવી હતી.
- Advertisement -
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ ભારતીય સંસ્કૃતિની અંદર ગાયનું મહત્ત્વ તેમજ આજનો દિવસ એટલે કારતક સુદ આઠમના આ દિવસની ઉજવણી વિશેની તેમજ સાયન્સ, આર્થિક, રાષ્ટ્રીય તેમજ ધાર્મિક રીતે ગાયનું મહત્ત્વ સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, જમનભાઈ પટેલ, વીરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, દિલીપભાઈ વઘાસીયા, મહેશભાઈ સેગલિયા, દિનેશભાઈ પરમાર, ધનજીભાઈ ગમઠા, રતિભાઈ ઠુંમર, પ્રદીપભાઈ મુંગલપરા, પરેશભાઈ જોશી, હિતભાઈ સખીયા, હસમુખભાઈ ચૌહાણ, કમલેશભાઈ, પંકજભાઈ, મયુરભાઈ દેસાઈ, પ્રદીપભાઈ કુંગેરા, ભરતભાઈ ભુવા, વિપુલાબેન સખીયા, ધારાબેન મુંગલપરા, માનસી રજપૂત, કંચનબેન, પુષ્પાબેન રજપૂત, લક્ષ્મીબેન રતિભાઈ, માહાબેન તેમજ બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.