ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા 11 ગૌવંશોને બચાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી હિન્દૂ વાહીની ગૌરક્ષક અને ટંકારા ગૌરક્ષકની ટીમ દ્વારા ટંકારા પાસેથી ત્રણ બોલેરો પિક અપમાં કતલખાને લઈ જવાતા 11 ગૌવંશને બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વાહનચાલક શખ્સોને પકડી પાડી આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
- Advertisement -
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા ગૌરક્ષક ટીમને અને મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકના સભ્યોને માહિતી મળી હતી કે, 11 ગાય અને ગૌવંશને બોલેરો પીકઅપમાં ભરીને રાજકોટ મીતાણા માર્ગેથી કચ્છ તરફ ગેરકાયદેસર કતલખાને જવામાં આવી રહ્યા છે જેથી મોરબી હિન્દુ યુવા વાહિની અને ટંકારા ગૌરક્ષકની ટીમ દ્વારા ત્રણ બોલેરો પીકઅપ ગાડીઓ જીજે 12 બીઝેડ 1948, જીજે 18 બીવી 1868, જીજે 12 બીઝેડ 9312 ને ટંકારા પાસે રોકવામાં આવી હતી જેમાં તપાસ કરતાં બોલેરોમાં ઘાસચારા અને પાણીની સુવિધા ન હોય અને ગૌ વંશને કોઈ પાસ પરમિટ વગર લઈ જવાતા હતા જેથી ટંકારા ગૌરક્ષક જીવદયા પ્રેમી અને મોરબી હિન્દુ યુવા વાહિનીના જિલ્લા અધ્યક્ષ તથા અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા દ્વારા વાહનચાલકોને પકડીને પોલીસને સોંપવામાં આવ્યા હતા અને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાદમાં આ ગૌવંશને મોરબીના પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા.