દેશની સૌથી હાઇટ્રેક ટ્રેન તરીકે જાણીતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની લોકપ્રિયતા વધતી જાય છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પાંચમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ખુલ્લી મૂકી. આ ટ્રેન મૈસૂરથી ચેન્નઇની વચ્ચે ચાલશે. જેથી દક્ષિણ ભારતીય રાજ્યોના પ્રવાસીને મોટો ફાયદો મળશે. શુક્રવારના રોજ બેંગલુરૂમાં વડાપ્રધાન મોદીએ મૈસૂર-ચેન્નઇ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી હતી. આ દક્ષિણ ભારતીય રાજ્યોની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે.
ટ્રેન નંબર 06507 મૈસૂર- ચેન્નઇ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આજે સવારે 10:25ના કેએસઆર બેંગલુરૂથી રવાના ઇ. જે આજે સાંજે 5:20 વાગ્યે એમજીઆર ચેન્નઇ પહોંચશે. આ ટ્રેનથી બેંગલુરૂથીા ચેન્નઇની યાત્રા કરનારા લોકોને ઘણા લાભ મળશે. આ ટ્રેન સૌથી ઓછા સમયમાં લોકોને પહોંચાડશે. 06507 મૈસૂર- ચેન્નઇ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સાથે- સાથે વડાપ્રધાન મોદીએ ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને પણ લીલી ઝંડી આપી રવાના કરી હતી.
- Advertisement -
PM Shri @narendramodi flags off Vande Bharat & Bharat Gaurav Kashi Darshan Express from Bengaluru, Karnataka. https://t.co/E3qaIfRaii
— BJP (@BJP4India) November 11, 2022
- Advertisement -
આ પહેલા વડાપ્રધાન મોદી લગભગ સવારે 10 વાગ્યે બેંગલુરૂથી HCL એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી સહિત ભાજપના બીજા નેતાઓ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. ત્યાર પછી વડાપ્રધાન સુવર્ણ વિધાન સૌદા પહેંચ્યા હતા. જ્યાં તેમણે જગદગુરૂ નિરંજનાનંદ પુરી મહાસ્વામીની હાજરીમાં સંત કનકદાસ અને વાલ્મીકીની મૂર્તિ પર પુષ્પાંજલી આપી હતી.
PM Shri @narendramodi pays floral tributes to Saint Shri Kanaka Dasa & Saint Shri Valmiki. https://t.co/jaw0t1UUTz
— BJP (@BJP4India) November 11, 2022
ત્યાર પછી વડાપ્રધાન મોદી ક્રાંતિવીર સંગોલી રાયન્ના(KSR) રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં લગભગ દેશની 5મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી હતી.