આઈએમએફના પ્રમુખે G20 દેશોના નાણામંત્રીઓના વલણની પ્રશંસા કરી
માત્ર અમેરિકા અને જર્મનીએ વિરોધ કર્યો: બ્રાઝીલમાં G20 દેશોના નાણામંત્રીઓની બેઠકમાં ઘોષણાપત્ર જાહેર: હાલ અબજોપતિઓ પાસેથી 0.3 ટકા કર વસુલાય છે, જો બે ટકા કર વસુલાય તો 3 હજાર અબજોપતિઓ પાસેથી વર્ષે 250 અબજ ડોલર મળે
- Advertisement -
દુનિયાના ટોચના વિકસીત અને વિકાસશીલ દેશોના નાણામંત્રી અબજોપતિઓ પર અસરકારક રીતે કર લગાવવાના પ્રસ્તાવ પર સહમત થયા હતા. એક સંયુક્ત મંત્રી સ્તરીય ઘોષણાપત્રમાં આ જાણકારી આપવામાં આવી હતી.
બ્રાઝીલના રિયો ડી જિનેરોમાં જી.20 દેશોના નાણામંત્રીઓની બે દિવસીય બેઠક યોજાઈ હતી. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે સહયોગાત્મક એ નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશું કે અબજોપતિઓ પર અસરકારક રીતે કર લગાવવામાં આવે રિયો ડી જિનેરોમાં 1919 નવેમ્બરમાં જી.20નું શિખર સંમેલન યોજાનાર છે.
આ સંમેલન પહેલા થયેલી નાણામંત્રીઓની બેઠકમાં બે દિવસ સુધી અબજોપતિઓ પર કર લગાવવાને લઈને ચર્ચા થઈ હતી. સંમેલન પહેલા અબજોપતિઓ પર ન્યુનતમ બે ટકા સંપતિ કર લગાવવાનો પ્રસ્તાવ રખાયો છે. તેના પર સહમતી જાળવી રાખવા સમૂહના અધ્યક્ષ તરીકે તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જો કે ઘોષણાપત્રમાં વિશિષ્ટ વૈશ્વિક કર પર સહમતી કાયમ ન કરી શકાઈ.
- Advertisement -
કર લગાવવાના વિરોધમાં અમેરિકા અને જર્મની
આ બેઠકમાં અબજોપતિઓ પર કર લગાવવાના પ્રસ્તાવ પર સહમતી સધાઈ હતી પણ અમેરિકા અને જર્મનીએ તેનો વિરોધ કર્યો હતો. અબજોપતિઓ પર કર લગાવવાના બ્રાઝીલના પ્રસ્તાવ પર જયાં ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, કોલંબીયા અને આફ્રિકા સંઘે સમર્થન કર્યું છે ત્યારે અમેરિકા અને જર્મનીએ તેનો વિરોધ કર્યો છે.
અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેને જણાવ્યું હતું કે, કર નીતિને વૈશ્વિક સ્તરે લાગુ કરવી કઠીન છે અમને આ બારામાં કોઈ વૈશ્વિક સમજુતી પર વાતચીત કરવાની કોઈ જરૂરિયાત નથી દેખાતી અને વાસ્તવમાં તે ઈચ્છનીય પણ નથી લાગતું.
આઈએમએફ પ્રમુખે વલણની પ્રશંસા કરી
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની પ્રમુખ ક્રિસ્ટાલીના જયોર્જીનાએ કર નિષ્પક્ષતા પર જી-20ના વલણની પ્રશંસા કરી હતી. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રગતિશીલ કરાધન પર જી-20 મંત્રીઓનો સંયુક્ત દ્દષ્ટિકોણ આવકારદાયક છે. જયારે બ્રાઝીલના નાણામંત્રી ફર્નાડો હદોદ તેને મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.
કરમાંથી મળેલ રકમનો કયાં ઉપયોગ થશે
આ રકમનો ઉપયોગ શિક્ષણ અને સ્વાસ્થ્ય સંભાળ જેવી જાહેર સેવાઓની સાથે સાથે જલવાયુ પરિવર્તન વિરુદ્ધ લડાઈમાં કરવામાં આવી શકે છે.
250 અબજ ડોલર ભેગા કરાશે
ફ્રાન્સીસી અર્થશાસ્ત્રી ગેબ્રિયલ ઝુકમેનના એક અહેવાલ અનુસાર હાલના સમયમાં અબજોપતિ પોતાની સંપતિના 0.3 ટકા ભાગને કર તરીકે ચૂકવે છે. બે ટકા સંપતિ કર લગાવવાથી વૈશ્વિક સ્તરે લગભગ 3 હજાર અબજોપતિઓ પાસેથી દર વર્ષે 200 અબજ ડોલરથી 250 અબજ ડોલર મેળવી શકાશે.
જી-20માં સામેલ છે આ દેશો
જી-20 દેશોમાં આજેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, રિપબ્લીક ઓફ કોરિયા, મેકસીકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, તુર્કીપે, યુનાઈટેડ કિંગ્ડમ (યુકે), અમેરિકા અને અન્ય યુરોપીય સંઘ સામેલ છે. ઉલ્લેખનીય છે કે યુરોપીય સંઘમાં 27 દેશો સામેલ છે.