ડ્રેગન ફ્રૂટમાં બિટાસાયમિન જેવા એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા હોય છે. આ ફ્રૂટનું સેવન કરવાથી કેન્સરનું જોખમ પણ ઓછું થઈ જશે.
કેન્સર સામે લડવા માટે સક્ષમ- ડ્રેગન ફ્રૂટમાં ફ્લેવેનોઈડ, ફેનોલોએક એસિડ અને બિટાસાયમિન જેવા એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા હોય છે. જે કુદરતી રીતે ફ્રી રેડિકલ્સને ખતમ કરે છે. ફ્રી રેડિકલ્સને કારણે ઓક્સિડેટીવ સ્ટ્રેસ થાય છે, જેના કારણે સેલ્સના DNAમાં પરિવર્તિત થઈ જાય છે. સેલ્સમાં થતું આ પરિવર્તનને કારણે કેન્સર થતું નથી. આ કારણોસર ફ્રી રેડિકલ્સ ઓછા થશે, તો કેન્સરનું જોખમ પણ ઓછું થઈ જશે.
- Advertisement -
વજન ઓછું કરવામાં લાભદાયી- ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, સવારે નાશ્તામાં આ ફ્રૂટનું સેવન કરી શકાય છે. જેથી આખો દિવસ ભૂખ લાગતી નથી. જે લોકો વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છે, તે લોકો માટે ડ્રેગન ફ્રૂટ ખૂબ જ લાભદાયી છે.
હ્રદય માટે ગુણકારી- ડ્રેગન ફ્રૂટમાં નાના નાના કાળા બીજ હોય છે. આ બીજમાં ઓમેગા-3 અને ઓમેગા-9 ફેટી એસિડ રહેલું હોય છે અને ફેટ બિલકુલ પણ નથી હોતી. જેથી ડ્રેગન ફ્રૂટનું સેવન કરવાથી કોલસ્ટ્રોલ વધતો નથી અને હ્રદય માટે ખૂબ જ લાભકારી છે.
- Advertisement -
ડાયાબિટીસ કંટ્રોલ રહે છે- ડ્રેગટ ફ્રૂટનું સેવન કરવાથી બ્લડ શુગર ઓછું થાય છે. એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, ડ્રેગન ફ્રૂટનું સેવન કરવાથી પૈંક્રિયાજમાંથી ઈન્સ્યુલિનનું યોગ્ય પ્રકારે ઉત્પાદન થાય છે. ઈન્સ્યુલિન ઓછું બને છે, ત્યારે બ્લડ શુગર વધે છે. જેની સામે ડ્રેગન ફ્રૂટ કુદરતી રીતે ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધે છે- ડ્રેગન ફ્રૂટનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે. ડ્રેગન ફ્રૂટમાં વિટામીન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા છે, જેનાથી ઈમ્યૂનિટીમાં વૃદ્ધિ થાય છે.