મલ્લિકાર્જુન ખડગે કહ્યું, કોંગ્રેસના ઘણા નેતાઓએ આઝાદીની લડાઈમાં પોતાનો જીવ આપ્યો, પરંતુ ભાજપના લોકોના ઘરેથી આઝાદીની લડાઈમાં……
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર સંસદમાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં ભાજપે ખડગે પાસેથી માફી માંગવાની માંગ કરી છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા પીયૂષ ગોયલે કહ્યું કે, ખડગેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. હું તેમના અભદ્ર ભાષણની સખત નિંદા કરું છું. સાથે જ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, આ ડુપ્લીકેટ કોંગ્રેસ છે-નકલી કોંગ્રેસ. આ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. આ તરફ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે, તેઓ તેમના શબ્દો પર અડગ છે.
- Advertisement -
If I repeat what I said outside, it'll get difficult for them. 'Maafi maangne waale log' are asking people who fought the freedom struggle to apologise…I said Indira Gandhi & Rajiv Gandhi sacrificed themselves. Who among you gave your life for unity of this country?: M Kharge pic.twitter.com/oGL9P7nZpb
— ANI (@ANI) December 20, 2022
- Advertisement -
શું કહ્યું હતું મલ્લિકાર્જુન ખડગેએ ?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમના તરફથી એવો જોર આપી કહેવામાં આવ્યું કે, કોંગ્રેસના ઘણા નેતાઓએ આઝાદીની લડાઈમાં પોતાનો જીવ આપ્યો, પરંતુ ભાજપના લોકોના ઘરેથી આઝાદીની લડાઈમાં એક ‘કૂતરો’ પણ મર્યો નથી. ખડગેએ કહ્યું કે, અમે દેશને આઝાદી અપાવી અને ઈન્દિરા અને રાજીવ ગાંધીએ દેશની એકતા માટે બલિદાન આપ્યું, પરંતુ તમે શું કર્યું ?
What I said during Bharat Jodo Yatra in Rajasthan's Alwar was outside the House. What I said was politically outside the House, not inside. There is no need to discuss that here. Secondly, I can still say that they had no role in the freedom struggle: LoP in RS Mallikarjun Kharge pic.twitter.com/Rz9XGHUMGc
— ANI (@ANI) December 20, 2022
ભાજપે કર્યા મલ્લિકાર્જુન ખડગે પર પ્રહાર
આ તરફ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, ‘હું વિશ્વાસ નથી કરી શકતો કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આટલા નીચા પડીને આવી વાંધાજનક ટિપ્પણી કરી શકે છે. તેમણે રાજકીય પક્ષના નેતા તરીકે પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ. અમે દુશ્મન નથી, હરીફ છીએ. આ કમનસીબ અને બિનજરૂરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ ભાજપ આક્રમક બની ગયું છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, ખડગે સાહેબની પાર્ટી બધાને કૂતરા માને છે. મારા દાદા લગભગ 5 વર્ષ જેલમાં હતા અને કોંગ્રેસમાં હતા. કોંગ્રેસે આજ સુધી બધાને કુતરા સમાન ગણ્યા છે.