ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે રાજકોટ મહાનગરપાલિકાનુ જનરલ બોર્ડ આચારચહિતા બાદ અને અતિભારે ચર્ચિત અગ્નિકાંડ બાદ પણ પ્રથમ હોવાથી અગ્નિકાંડ મુદે કોંગ્રેસની આક્રમતાથી સતાધારી પાર્ટીને મહદ અંશે ડર હતો કે કોંગ્રેસ પીડિતોને સાથે રાખીને હલ્લાબોલ કરવાની છે જેથી આજે યુવા ભાજપને સ્પષ્ટ સૂચના આપેલ હતી કે પ્રેક્ષક ગેલેરીમા મોટી સંખ્યામા હાજર રહેવુ અને કઈક હલ્લાબોલ જેવુ બને તો સૂચનાના આધારે પગલુ લેવુ.
- Advertisement -
પરંતુ પોલીસને આ વાતની ગંધ આવી જતા આજે વહેલી સવારે જ પ્રદેશ કોંગ્રેસના લડાયક પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમના નિવાસસ્થાનેથી ઉઠાવીને ક્રાઇમબ્રાન્ચે બેસાડી દીધા હતા. જો કે થોડા અમદાવાદમા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી બબાલ અહી પોલીસની સતર્કતાને લીધે સહેજ થતી અટકી ગઈ અન્યથા અગ્નિકાંડ મુદે વિપક્ષ જો હલ્લાબોલ કરેત તો આમને સામને નવાજૂની થવાના એંધાણ સ્પષ્ટ હતા.