નવ દિવસની કથા દરમિયાન ભક્તો શિવભક્તિમાં થયા લિન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
શિવ હી જીવ, જીવ હી શિવ, શિવ મહાપુરાણ કથાનું ગોંડલ, મોટા દડવાના ધીંગેશ્ર્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, પ.પૂ સંત શ્રી આનંદદાસજી બાપુની પ્રેરણા થી આ શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ભવ્ય શિવ મહાપુરાણ કથાના વક્તા પૂજ્ય શ્રી ગિરિબાપૂના મુખે ભક્તોએ શિવ મહિમા કથા સાંભળી હતી,શિવ કથા મહાપુરાણનું આયોજન ધીંગેશ્ર્વર મહાદેવ મંદિર (આનંદ આશ્રમ) સમસ્ત મોટાદડવા ગામના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું, જે કથા દરમિયાન રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરષોત્તમભાઈ રૂૂપાલા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા સહીત મહાનુભાવો કથા દરમિયાન દર્શનનો લાભ લીધો હતો, આ કાર્યક્રમમાં નવે નવ દિવસ છાસ, દૂધ અને ઘોરવાના દાતા ગોપાલભાઈ ભીખાભાઈ ડાંગર અને જયદીપભાઈ લાભભાઈ ડાંગરની સેવા દ્વારા કરવામાં આવ્યું હતું, આ શિવ મહાપુરાણ કથા તારીખ :07/04/2024એ શરુ થઇ હતી
- Advertisement -
અને 15/04/2024 આજે તેનું સમાપન થયું હતું, આ કથાને પૂજ્ય મોરારી બાપુ અને ગુજરાત રાજ્યના મહા મહિમા રાજ્યપાલ દેવવ્રતજીએ શુભેચ્છા સંદેશ પણ આપ્યો હતો, કથા દરમિયાન રોજ રાત્રે સંતવાણી અને લોક ડાયરોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જયારે બપોરે ભક્તોને મહા પ્રસાદ અને રાત્રી દરમિયાન મહા પ્રસાદનું પણ આયોજન કથા દરમિયાન કરવામાં આવ્યું હતું, નવ દિવસની કથા દરમિયાન લાખો શિવભક્તો શિવ ભક્તમાં લિન થયા હતા જયારે સેવા કાર્યોની વાત આવે તો અનેક દાતાશ્રીઓ આર્થિક સેવા આપી પોતે શિવની ભક્તિમાં લિન થયા હતા, આ શિવ કથા દરમિયાન સમસ્ત ગામ લોકોએ પણ ખભે ખભ્ભો મિલાવી સેવા કાર્યમાં જોડાયા હતા, કથા દરમિયાન સમસ્ત ગામ હર હર ભોલેના નાદ સાથે શિવ મય બની ગયું હતું.