જૂનાગઢનાં જાગૃત નાગરિકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી
મનપા રેકર્ડમાં 7.10 મી.નો રસ્તો અને હાલ માત્ર 3.5 મી.નો…
- Advertisement -
જૂનાગઢમાં વધુ એક બિલ્ડિંગનું કૌભાંડ બહાર આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાપાલિકા બિલ્ડીંગોના બાંધકામ મુદ્દે સતત વિવાદમાં જોવા મળે છે. ત્યારે જુનાગઢ શહેરનાં છાંયા બજાર વિસ્તારમાં બિલ્ડીંગના બાંધકામમાં દબાણ કરનાર સામે શહેરના જાગૃત નાગરિક વિરલ જોટવાએ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ કરતા શહેરના ગેરકાયદેસર બાંધકામ ધરાવતા બિલ્ડર્સ અને ભુમાંફીયામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જૂનાગઢનાં વિરલ અરસીભાઇ જાગૃત નાગરિક તરીકે લેન્ડગ્રેબીંગની ફરિયાદ કરતા જણાવ્યુ હતુ કે, જૂનાગઢ મહાપાલિકા વિસ્તારમાં આવેલ છાયા બજારમાં માત્ર 10 ફુટની સાંકડી ગલીમાં ચાર માળનું ગોકુલ-એ નામનું એપાર્ટમેન્ટ બનાવવામાં આવેલ છે. આ બિલ્ડીંગના મનપાના રેકર્ડ મુજબ નકશામાં આશરે 7 મિટર એટલે કે, આશરે 23 ફુટ જેટલો રસ્તો બનાવામાં આવેલ છે અને વર્તમાન સ્થિતિમાં રસ્તો માત્ર 13થી 14 ફુટનો જ છે. આ રસ્તા ઉપર સમગ્ર એપાર્ટમેન્ટે 10 ફુટ જેટલી લેન્ડ ગ્રેબીંગ કર્યા બાબતની કલેકટર સમક્ષ ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડનો મામલો બહાર આવેલ છે.
- Advertisement -
જૂનાગઢમાં મહાનગરપાલિકા વિસ્તારના સીટી સર્વે બ્લોક નં.16 સીટી સર્વે નં.436ની કુલ જમીન 274-62-20 આશરેની જમીન પર આવેલ ગોકુલ-એ એપાર્ટમેનટ જી-4 એટલે કે ચાર માળનું બહુમાળી બિલ્ડીંગ આવેલુ છે જે ઇમારત કિર્તીબેન મુકેશભાઇ રાજપરા નામની વ્યક્તિએ બનાવેલુ છે, આ એપાર્ટમેન્ટના મહાનગરપાલિકાના રેકર્ડ પરના નકશા મુજબ આ ઇમારતની આગળના ભાગે 7.10 મીટરનો રસ્તો દર્શાવેલો છે, પરંતુ વર્તમાન પરિસ્થિતીની હકીકત મુજબ આ રસ્તો માત્ર અને માત્ર 13 ફુટનો છે. જેથી પ્રાથમિક તબબકે જ જણાય છે કે મહાપાલિકાના રેકર્ડ પરની વિગતો મુજબ જાહેર રસ્તા પર આ ઇમારત બાંધકામ કરનાર કીર્તીબેન મુકેશભાઇ રાજપરા દ્વારા જાહેર રસ્તા પર અશરે સાડા ત્રણ મીટરનું જાહેર રસ્તા પર દબાણ કરી અને હાલની મિલકત ઉભી કરી અને જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 હેઠળ ગુનો કરેલ છે જેથી આ સમગ્ર ગુનામાં રેકર્ડ આધારિત નકશા તેમજ બાંધકામ મંજૂરીની ખરાઇ કરી અને ગુનો દાખલ કરવા અમોની માનસર અરજ છે. જાહેર રસ્તા પર દબાણ કરે છે તે ઉપરાંત જાહેર રસ્તા પર રવેશ કાઢી અને લેન્ડ ગ્રેબિંગ કરેલ હોય જેથી સત્વરે તપાસ કરી અને ગુનો દાખલ કરવા વિનંતી છે.
જૂનાગઢ મહાપાલિકાની બાંધકામ શાખા ફરી વિવાદમાં
જૂનાગઢ મહાપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામને મંજુરી આપવાની આ પહેલા અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે વધુ એક છાયા બજારમાં દબાણ કરનાર બિલ્ડર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતા ફરી મનપા વિવાદમાં જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહ્યુ કે, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થાય છે કે પછી રાબેતા મુજબ ભીનું સંકેલાઇ જશે.