લોકમેળાની ચાલતી કામગીરીનું કલેકટરે સ્થળ નિરીક્ષણ કર્યું
રેસકોર્સ મેદાનમાં થનારા લોકમેળાની ચાલતી કામગીરીનું જિલ્લા કલેકટરએ આજે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન વાતચીતમાં મેળાનું નામ આઝાદીનો અમૃત લોકમેળો નામ જાહેર કર્યુ હતું. આ નામ કિશન જાવીયાએ સુચવ્યુ હતુ. કલેકટરએ જણાવ્યું હતું કે મેળાના નામ માટે કુલ 680 થી વધુ અરજી આવી હતી.
- Advertisement -
સમગ્ર દેશમાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી થઈ રહી છે ત્યારે આઝાદીના નામ સાથે લોકમેળાનું નામ આપવુ યોગ્ય લાગ્યુ છે. કલેકટર લોકમેળાની મુલાકાત વખતે પ્રાંત અધિકારીઓ, પોલીસ, ફાયરબ્રિગેડ, ઈલેક્ટ્રીકકલ, મીકેનીકલ વિભાગ વગેરેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.