અઈં ફોટો વાયરલ થતાં તંત્રની ભૂમિકા સામે અનેક સવાલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર ચાલતા ખનીજના ખનન સામે તંત્રની ભૂમિકા શંકાસ્પદ નજરે પડે છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટા ખનનના કૌભાંડ એટલે કે કોલસાનું ખનન થતા ત્રણ તાલુકામાં તંત્રને ક્યારેય કોલસાનું ખનન બંધ કરાવવામાં સફળતા મળી નથી. તેવામાં કોલસાના ખનન માટે સૌથી મહત્વનો વિસ્તાર ગણાતા થાનગઢ પંથકના સોનગઢ ગામે ખારા વિસ્તારમાં અવિરત ચાલતી કોલસાની ઓપન કટીંગ ખાણ સામે ભલભલા બાહોશ અધિકારીઓના પગ ધ્રૂજવા લાગતા હોય છે. જેના લીધે થાનગઢ પંથકના દરેક વિસ્તારોમાં દરોડા થાય પરંતુ ખારા વિસ્તારમાં કોલસાના ખનન પર દરોડા કરવાનું બાહોસ અધિકારીઓ સ્વપ્ન પણ જોતા નથી કારણ કે અહીં કોલસાની ઓપન કટિંગ ખાણો રાજકીય ઓથ હેઠળ ચાલે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાને બાહોશ માનતા અધિકારીઓ ખારા વિસ્તારમાં જતા પણ ડર અનુભવે છે જેથી સ્પષ્ટ અધિકારીઓની સામે પણ અનેક પ્રકારની શંકા ઉદ્ભવે છે. સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ ગામે ચાલતી બેરોકટોક અને ખુલ્લેઆમ કોલસાની ઓપન કટીંગ ખાણો મામલે અઈં જનરેટથી નિર્માણ કરેલ ચિત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા સોનગઢના ખારા વિસ્તારમાં ચાલતા કોલસાના ખનન અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.



