By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ
    4 hours ago
    ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા
    5 hours ago
    અમેરિકામાં આયાત થતા સ્ટીલ પર 50% ટેરિફના અમલથી અમેરિકામાં મોંઘવારી વધવાની શક્યતા
    5 hours ago
    ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે
    7 hours ago
    KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ
    9 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    USમાં 12 દેશના નાગરિકોને નો-એન્ટ્રી વધુ 7 દેશ પર આંશિક પ્રતિબંધ લદાયો
    4 hours ago
    જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ
    4 hours ago
    આ ફક્ત નાસભાગ નથી, આપસી ઝઘડાના કારણે સરકાર દ્વારા પેદા કરવામાં આવેલી દુર્ઘટના: ભાજપ
    8 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો
    8 hours ago
    સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    8 hours ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    10 hours ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    1 day ago
    ભાવનાત્મક દ્રશ્યો! IPL 2025 ફાઇનલમાં PBKSની હાર બાદ પ્રીતિ ઝિન્ટા ઉદાસ
    1 day ago
    RCBની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    8 hours ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    1 day ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    2 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    3 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    6 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં “ફેન્ટમ કેટાલીટીક રિએક્ટર પ્લાન”નો ઇ-શુભારંભ કરાવતા મુખ્યમંત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં “ફેન્ટમ કેટાલીટીક રિએક્ટર પ્લાન”નો ઇ-શુભારંભ કરાવતા મુખ્યમંત્રી
અમદાવાદ

અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં “ફેન્ટમ કેટાલીટીક રિએક્ટર પ્લાન”નો ઇ-શુભારંભ કરાવતા મુખ્યમંત્રી

Khaskhabar Editor
Last updated: 2021/06/26 at 11:29 AM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

“વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ” ક્ષેત્રે રાજ્યમાં શરૂ થયો વિકાસનો નવો અધ્યાય

ગુજરાતે કલાઇમેટ ચેન્જ – ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ સંવર્ધન માટેનો વાતાવરણ શુદ્ધિનો માર્ગ દેશને બતાવ્યો છે – મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

“ફેન્ટમ કેટાલીટીક રીએકટર”(FCR) ટેક્નોલોજીથી સજ્જ CETPનો લાભ વટવા જી.આઇ.ડી.સી.ના 700 જેટલા ઉદ્યોગોને મળશે.
રાજ્યમાં ઔદ્યોગિક ગંદા પાણી શુદ્ધિકરણના ૩પ CETP ૭પ૦ એમ.એલ.ડી ક્ષમતા સાથે કાર્યરત છે-વધુ ૧૯ કાર્યરત કરાશે
કન્વેન્શનલ ટેકનોલોજીના સ્થાને એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ સમયની માંગ છે
સૌ સાથે મળી ગ્રીન-કલીન ગુજરાતનો સંકલ્પ પાર પાડીએ.

Contents
“વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ” ક્ષેત્રે રાજ્યમાં શરૂ થયો વિકાસનો નવો અધ્યાયગુજરાતે કલાઇમેટ ચેન્જ – ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ સંવર્ધન માટેનો વાતાવરણ શુદ્ધિનો માર્ગ દેશને બતાવ્યો છે – મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદની વટવા જી.આઇ.ડી.સી.માં “ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર” પ્લાન્ટના શુભારંભ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત હંમેશા પર્યાવરણ સંરક્ષણની સાથેસાથે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે સંતુલિત વિકાસની બાબતમાં અગ્રેસર રહ્યુ છે.

- Advertisement -

હાલમાં ભારત સરકાર દ્વારા મહત્વના ૨૦ માપદંડોના આધારે રાજ્યોનું મુલ્યાંકન કરવામાં આવ્યુ જેમાં ગુજરાત પાંચ માપદંડોમાં – FDI, GDP, Exports, રોજગાર અને વોટર મેનેજમેન્ટ જેવા મુલ્યાંકનમાં સર્વશ્રેષ્ઠ છે.

મુખ્યમંત્રીએ વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરની નવી દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યુ હતું.

- Advertisement -

વટવા જીઆઈડીસીમાં ગ્રીન એન્વાયરમેન્ટ કો-ઓપરેટીવ સોસાયટીએ નવી ફેન્ટમ કેટાલીટીક રીએકટર (FCR) ટેક્નોલોજીથી સજ્જ સ્થાપિત કરેલા આ CETPનો લાભ વટવા જીઆઇડીસીના લગભગ 700 જેટલા ઉદ્યોગોને મળશે અને પર્યાવરણ કાયદાના માપદંડોનુ સરળતાથી પાલન દ્વારા વટવા ઔદ્યોગિક વિસ્તાર વેસ્ટ વોટરના નિકાલ અંગેના ૧૦૦ ટકા નોર્મ્સનું પાલન કરતો વિસ્તાર બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા વિશ્વની સૌપ્રથમ એવી એમીશન ટ્રેડીંગ સ્કીમના સુરતમાં સફળતાપુર્વક અમલીકરણથી આપણે હવામાં તરતા રજક્ણો રુપી પ્રદુષકોની માત્રામાં આશરે ૨૦% જેટલો ઘટાડો કરી શક્યા છીએ. સુરત વિસ્તારમાં એમીશન ટ્રેડીંગ સ્કીમની સફળતાને ધ્યાને લઇ અમદાવાદમાં આશરે ૨૪૦ ઉદ્યોગોમાં સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જે અદ્યતન ટેક્નોલોજીથી પર્યાવરણની સુરક્ષાનું એક ઉદાહરણ છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ઔધોગિકરણ સાથે પ્રકૃતિ સંવર્ધન ક્ષેત્રે લેવાયેલ વિવિધ નિર્ણયો વિશે જણાવ્યુ કે, જેતપૂર, અમદાવાદ, વડોદરા, સુરત જેવા વિસ્તારોના ઊદ્યોગોના ઔદ્યોગિક ગંદા પાણીના શુદ્ધિકરણ બાદ પર્યાવરણીય રીતે સલામત સ્થળે દરીયામાં ઉંડે નિકાલ કરવા માટે પાઇપલાઇન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાઇપલાઇન પ્રોજેક્ટથી પાણીના પ્રદુષણની સમસ્યા હલ થઇ શકશે, નદીઓના પાણીની ગુણવત્તા નોંધપાત્ર સુધારો આવશે અને ૯૨% જેટલા લઘુ ઉદ્યોગોને સીધો લાભ મળશે.

વિજયભાઇએ જણાવ્યું કે, ઔદ્યોગિક એકમોમાંથી ઉદભવતા ગંદાપાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટે રાજ્યમાં સંયુક્ત ગંદાપાણીના શુદ્ધિકરણ પ્લાંટ ની વ્યવસ્થાને વેગ આપ્યો છે. હાલમાં રાજ્ય માં કુલ ૩૫ સંયુક્ત ગંદાપાણીના શુદ્ધિકરણ પ્લાંટ કાર્યરત છે. રાજ્યમાં ૧૯ જેટલા નવા સામુહિક ગંદાપાણીના શુદ્ધિકરણ પ્લાંટનું આયોજન કરવામાં આવેલ છે. આ શુદ્ધિકરણ પ્લાંટમાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીએ કહ્યું છે કે, ક્લાયમેન્ટ અને એન્વાયરમેન્ટને સુરક્ષીત રાખવા માટેનું આગોતરુ આયોજન ખુબ જ જરુરી છે. જે માટે આપણે સૌ નાગરીક જળ, હવા, અને જમીનનું સંતુલન જાળવવા માટે સંયુક્ત પ્રયાસો કરીશું તો જ આપણી આવનારી પેઢીને ઉત્તમ પર્યાવરણ તથા ભવિષ્ય આપી શકીશું. તેમ તેમણે જણાવ્યું હતું.

આ સંદર્ભમાં પર્યાવરણ સંરક્ષણ આયોજનના ભાગરુપે ઘણા વર્ષૉ પહેલેથી જ ગુજરાતમાં ક્લાયમેન્ટ ચેંજનો અલાયદો વિભાગ શરુ કરવામાં આવેલો છે. સમય સાથે કદમ મીલાવતા વોટર મેનેજમેન્ટ, ઘરગથ્થા ગંદાપાણીનો શુધ્ધિકરણ બાદ ઉદ્યોગોમાં પુન:વપરાશ, સોલાર પોલીસી, ઇલેક્ટ્રીકલ વીહીકલ પોલીસી જેવા મહત્વના નિર્ણયો ગુજરાતે લીધા છે.

પર્યાવરણ જાળવણી માટે વિશ્વભરમાં સૌ ચિંતિત છે અને તેના સંરક્ષણ માટે ઉદ્યોગો ક્લીનર પ્રોસેસ અને ક્લીનર ટેકનોલોજીના કન્સેપ્ટને વધુને વધુ અપનાવતા થયા છે. આપણે સૌ જાણીએ છે કે પર્યાવરણના કાયદાઓ દિન પ્રતિદિન વધુ કડક થઇ રહ્યા છે અને કુદરતી સ્ત્રોતો પણ ઓછા થઇ રહ્યા છે આવા સંજોગોમાં કન્વેન્શનલ ટેક્નોલોજીના સ્થાને એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ એ તાતી જરુરીયાત છે એમ તેમણે જણાવ્યું હતું.

ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોતાના મતવિસ્તારમાં દેશનો સૌ પ્રથમ વોટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટેનો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર પ્લાન્ટ પ્રસ્થાપિત થવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્લાન્ટ રાજ્યના અને દેશના અન્ય ઔધોગિક વસાહતો માટે પણ ઉદાહરણરૂપ સાબિત થશે તેવો ભાવ ગૃહરાજ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

ગૃહ રાજ્યમંત્રીએ આ પ્રસંગે ગ્રીન એન્વાયરમેનના પ્રખરી સ્વ.શંકરકાકાને હ્યદયપૂર્વક યાદ કરીને આ પ્રસંગે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ આ સંદર્ભે વિશેષમાં કહ્યું કે, વટવા જી.આઇ.ડી.સી. અને રાજ્યની અન્ય જી.આઇ.ડી.સી.ને પ્રદૂષણમુક્ત કરવા સ્વ. શંકરકાકા હરહંમેશ કાર્યરત અને સેવારત રહ્યા છે. શંકરકાકા દ્વારા લેવાયેલ અનેકવિધ પહેલના પરિણામસ્વરૂપ આજે દેશનો સૌપ્રથમ ફેન્ટમ કેટાલિસ્ટ રીએક્ટર પ્લાન્ટ વટવા જી.આઇ.ડી.સી.માં પ્રસ્થાપિત થયો છે.

પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે જી.એ.સી.એસ.સી.એલની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ ઔધોગિક વિકાસ ક્ષેત્રમાં ગુજરાતે હરહંમેશ અગ્રેસર રહ્યું હોવાનું જણાવી ઔઘોગિક વિકાસની સાથે રાજ્યએ પ્રકૃતિ સંવર્ધન ક્ષેત્રે પણ અગ્રિમતા મેળવી હોવાનું કહ્યું હતું. એમ.એસ.એમ.ઇ. અંતર્ગત મહત્તમ ઉધોગો વિકાસ પામી રહ્યા છે ત્યારે આ તમામ ઉધોગ ઉત્પાદનની સાથે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે પણ કાર્યાન્વિત બને તેવો ભાવ મંત્રી વ્યક્ત કર્યો હતો.

ઔધોગિક વિકાસ કે આર્થિક વિકાસના મૂળમાં ટકાઉ વિકાસની ભાવના રહેવી જોઇએ જેથી આપણે આવનારી પેઢી માટે પણ વારસામાં વિકાસરૂપી વિરાસત મૂકી શકીએ તેમ મંત્રીએ કહ્યું હતુ.

આ લોકાર્પણમાં અમદાવાદ સાંસદ સર્વે કિરીટભાઈ સોલંકી, એચ એસ પટેલ, વન અને પર્યાવરણ વિભાગ અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નટુભાઇ પટેલ, ગ્રીન એન્વાયરમેન્ટ કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારી અને વટવા ઔદ્યોગિક વસાહત મંડળના પદાધિકારીઓ પણ જોડાયા હતા.

You Might Also Like

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો

SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ સ્કૂલને બૉમ્બથી ઉડાવવાની ધમકીનો ઇ-મેલ મળ્યો

AMTSનો મહત્વનો નિર્ણય: વિદ્યાર્થીનીઓ અને વિધવા બહેનોને ટિકિટ પર 85 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે

અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલિશન: બે કલાકમાં 450 જેટલાં કાચાં-પાકાં દબાણો દૂર કરાયાં

ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્ય સરકારે પહેલા ફેઝમાં કોરોનાની સારવાર માટે ૪૦ હજાર બેડની અને હાલમાં અગમચેતી રૂપે એક લાખ બેડ સહિત જરૂરી વ્યવસ્થાઓ કરી છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Next Article સુરત મહાનગરપાલિકાની નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનાં એક ઉમેદવારની હારથી હંગામો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વડોદરા

વડોદરા પાસે 955 વર્ષ દેશનું સૌથી જૂનું હેરિટેજ વૃક્ષ બાઓબાબ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
7 વર્ષથી ગુજરાતનો વન વિસ્તાર સ્થિર, માત્ર 11% હરિયાળું આવરણ
રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન
રાજકોટના મવડી વિસ્તારમાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી
રાજુલા: કાન્હા વિશ્વ વિદ્યાલયના સંચાલકોએ શાળાની માન્યતા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની રજૂઆત કરતા ખળભળાટ
FRC ચેરમેનની તાત્કાલિક નિમણુંક કરવા NSUIની જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદખાસ-ખબરગુજરાત

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અમદાવાદ

SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ સ્કૂલને બૉમ્બથી ઉડાવવાની ધમકીનો ઇ-મેલ મળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમદાવાદ

AMTSનો મહત્વનો નિર્ણય: વિદ્યાર્થીનીઓ અને વિધવા બહેનોને ટિકિટ પર 85 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?