ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં કલબ યુવીના 12000 ખેલૈયાઓ ધૂમ મચાવશે
ખેલૈયાઓ માટે બારકોડ પાસની વ્યવસ્થા: આધુનિક ટેકનોલોજીના સથવારે ગ્રાઉન્ડની સજાવટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં કલબ યુવી નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય, અદ્ભુત આયોજન કરવામાં આવે છે ત્યારે 15 વર્ષની સફળતા બાદ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરિત ‘કલબ યુવી નવરાત્રિ મહોત્સવ-2024’ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. 16માં વર્ષે ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રિ મહોત્સવ માણે તે માટેનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું આયોજન થયું છે. રાજકોટ શહેરમાં ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રિ મહોત્સવ યોજાશે.
રાજકોટના ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટ સામે કલબ યુવી દ્વારા તા. 3-10થી 11-10 દરમિયાન રાજકોટના આંગણે પારીવારિક માહોલમાં યોજાનારા નવરાત્રિ મહોત્સવની સમગ્ર પાટીદા સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે. જગત જનનીની ઉપાસના માટે પ્રાચીન સંસ્કૃતિને ધબકતી રાખવા માટે કલબ યુવી દ્વારા સતત 16માં વર્ષે અનેરૂ આયોજન થઈ રહ્યું છે.
અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે સૌરાષ્ટ્રભરમાં આગવુ નામ ધરાવતી ઉમિયાધામ સિદસર પ્રેરિત કલબ યુવી નવરાત્રિ મહોત્સવ નવા રંગ-રૂપ સાથે કલબ યુવી નવરાત્રિ મહોત્સવની તૈયારી શરૂ થઈ ચૂકી છે. એડવાઈઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ. એમ. પટેલ, કાંતીભાઈ ઘેટીયા, બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયાની ટીમ સાથે 15 સભ્યોની કોર કમિટીમાં દિનેશભાઈ ચાપાણી, હર્ષિતભાઈ કાવર, હરીભાઈ કલોલા, રજનીભાઈ ગોલ, અતુલભાઈ ભુત, રેનીસભાઈ માકડીયા, દિનેશભાઈ વિરમગામા, યોગેશભાઈ કાલરીયા, વસંતભાઈ કનેરીયા, ચંદ્રેશભાઈ શીરા, દિલીપભાઈ ઝાલાવડીયા, રવિભાઈ ચાંગેલા, હસુભાઈ નાર, ચેતનભાઈ ભુત, કિશન સિણોજીયા ઉપરાંત 91 સભ્યોની કમિટી સાથે મળીને તૈયારીઓનો શુભારંભ કર્યો છે.
- Advertisement -
નવરાત્રિ મહોત્સવમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગ્રાઉન્ડ 1,06,400 સ્કવેર ફૂટ મેદાનમાં 12000 ખેલૈયાઓ રમી શકે અને 30000 દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રિનો આનંદ માણી શકે તે માટે સમથળ મેદાનમાં ટુ લેયર કારપેટ, મહેમાનો-આમંત્રિતો માટે ખાસ 6 ગેલેરી, સ્પોન્સરશીપ કંપની માટે 25થી વધુ પેવેલિયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા, આકર્ષક લાઈટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં 50 ફૂટની એલ.ઈ.ડી.થી સજ્જ મિકસર સ્પેસ તેમજ મેઈન સ્ટેજ ફરતે રાઉન્ડ એલ.ઈ.ડી. સ્ક્રીન ફોરમેટથી સજાવટ થશે. કમલ સાઉન્ડ દ્વારા 2,50,000ની હાઈટેક વી.ટી.એક્સ. લાઈન ઓરે સાઉન્ટ સિસ્ટમ, ફૂડઝોન, કેન્ટીન, ઈન્ટરનલ પાર્કિંગ તથા ટાઈટ સિક્યોરિટી સહિતનું પ્લાનીંગ અમલી બનાવ્યું છે. સમગ્ર ઈવેન્ટનું લાઈવ પ્રસારણ તથા સ્પોન્સર દાતાઓની પ્રોડક્ટને ઉજાગર કરાશે. કલબ યુવીની વેબસાઈટ યુટયુબ તથા ફેસબુક લાઈવ દ્વારા નવરાત્રિનું દુનિયાભરમાં લાઈવ પ્રસારણ થશે તથા કલબ યુવી નવરાત્રિ મહોત્સવ સ્થળે ખેલૈયાઓ તથા દર્શકો માટે એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવશે.
કલબ યુવી નવરાત્રિ મહોત્સવમાં ચુનંદા કલાકારોનો કાફલો સૂર-તાલની સુરાવલીના સથવારે ખેલૈયાઓને ડોલાવે તેવું આયોજન કરાયું છે. જેમાં સીંગર તરીકે મયુર બુદ્ધદેવ, રાજવી શ્રીમાળી, અક્ષિલ પાટીલ, જલ્પા સુરતી, અવનીબેન પીઠડીયા, કલબ યુવી ટીમના મ્યુઝિક કોર્ડીનેટર સુરેશભાઈ જાવિયાના માર્ગદર્શન હેઠળ કલબ યુવાના આ નવરાત્રિ મહોત્સવમાં સૂર-તાલનું ભવ્ય સામ્રાજ્ય સર્જી સૌને એક તાલે ડોલાવશે.
કલબ યુવીની આ પારીવારિક નવરાત્રિ મહોત્સવ 2024 ખલૈયાના પાસ તેમજ ફોર્મનું વિતરણ કલબ યુવી કાર્યાલય- નક્ષત્ર હાઈટ્સ, નક્ષત્ર-3, રૈયા ટેલિફોન એક્સચેંજ સામે, 150 ફૂટ રીંગ રોડ, (મો. 9408271451), ઉમિયાજી પાન યોગેશ્ર્વર પાર્ક, સહેલી ફેશન પંચાયતનગર ચોક, રૂપ બ્યુટી શોપ સ્વામિનારાયણ ચોક, ક્રિષ્ના ઝેરોક્ષ સરદારનગર મેઈન રોડ, ક્રિષ્ના કેન્ડી સ્પીડવેલ ચોક, રાધે પ્રોવિઝન સ્ટોર અલયપાર્ક નાનામૌવા મેઈન રોડ, શિવમ મેડિકલ સ્ટોર અંબિકા ટાઉનશીપ, વિશ્ર્વા આરઓ અંબાધામ મંદિર પાસે, અંબિકા ટાઉનશીપ, શ્રીનાથ બ્યુટી શોપ સત્યસાંઈ હોસ્પિટલ રોડ, શ્રી રામ સુપર માર્કેટ જીવરાજપાર્ક અંબિકા ટાઉનશીપ, ક્રિષ્ના કેન્ડી સાધુ વાસવાણી રોડ, શ્રી ઉમા લક્ષ્મી મંડપ સર્વિસ જલજીત મે. રોડ, ઉમિયા ચોક પરથી મેળવી શકાશે.
કલબ યુવી અને કેન્સર કેર ફાઉન્ડેશનના ઉપક્રમે વેલકમ ગરબા યોજાશે
કલબ યુવી દ્વારા સમાજમાં કેન્સર જાગૃતિના નવતર પ્રયોગરૂપે આગામી તા. 2 ઓક્ટો.ના રોજ કેન્સર કેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આશરે 3000 જેટલા કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે રાસ-ગરબાનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના નામાંકિત સાંસ્કૃતિક કલબ ‘કલબ યુવી’માં પ્રથમ વખત કેન્સરના દર્દીઓ પોતાનું દુ:ખ દર્દ ભૂલીને મા શક્તિની ભક્તિમાં લીન થઈ ગરબે ઝુમશે. ગાંધી જયંતીના વિશેષ દિવસે કેન્સરગ્રસ્ત દર્દીઓ પરંપરાગત ટ્રેડીશ્નલ વેશભૂષામાં સજ્જ થઈ ખેલૈયાઓની જેમ ગરબે ઘૂમી મા જગદંબાની આરાધના કરશે. પોતાના દુ:ખ દર્દને સહન કરવાની શક્તિ અને હિંમત મા આદ્યશક્તિ પાસે માગશે. કેન્સરના દર્દીઓ સાથે 250 જેટલા કેન્સર નિષ્ણાત તબીબી સહિત આશરે 9 હજાર જેટલા લોકો આ રાસ ગરબામાં જોડાશે. આ રાસ ગરબાના લાખેણા ઈનામો તરીકે શાળા કોલેજોની 700થી વધુ દીકરીઓને કેન્સર વિરોધી રસી તેમજ મેમોગ્રાફી ટેસ્ટના વાઉચર ગ્રીવા ફાઉન્ડેશન તરફથી આપવામાં આવશે. રાસ ગરબા સાથે કેન્સર જાગૃતિ અર્થે એક નાટક પણ યોજાશે. દીકરીઓ દ્વારા 108 દેવી કવચના પાઠ કરવામાં આવશે. કલબ યુવીના હોદ્દેદારો તથા કેન્સર કેર ફાઉન્ડેશનના અશ્ર્વિનભાઈ સોલંકી, રૂપલબેન કોટક, હંસાબેન પટેલ, જ્યોતિબેન શાસ્ત્રી, જલ્પાબેન કુબાવત, બ્રિજેશ સાપરીયા દ્વારા કેન્સરના દર્દીઓ પોતાની પીડા ભૂલી સમાજની હુંફ મેળવે તેમજ કેન્સર વિશે જાગૃતિ ફેલાય તેવી નેમ વ્યક્ત કરવામાં આવી છે.