વાતાવરણમાં ભેજનું પ્રમાણ હજુ વધારે હોવાથી ક્યાંક ધૂપછાંવના માહોલ વચ્ચે ઝરમરીયા ઝાપટાં
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા 12 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહેલો વરસાદ આખરે બંધ થયો છે. આજે સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરાપ નીકળતા ખેડૂતો અને આમઆદમી ખુશખુશાલ થયા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ક્યાંક ધૂપછાવનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભેજવાળા વાતાવરણના કારણે ઝરમરિયા ઝાપટા પણ પડી રહ્યા છે.
- Advertisement -
આજે રાજકોટ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી ભાવનગર અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85 થી 90 ટકા આસપાસ રહેવા પામ્યું છે. આકાશમાં અપર લેવલે ભેજવાળા વાદળો પણ જોવા મળી રહ્યા છે.