જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાલાકોટના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમ્યાન સાંજે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે ઘર્ષણ થયું હતું. સંદિગ્ધ ગતિવિધિની સૂચના મળતા સેનાના સીઆરપીએફ અને પોલીસની સાથે મળીને કાલાકોટ પોલીસ ક્ષેત્રના તત્તાપાની વિસ્તારમાં બ્રોહ અને સૂમ જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો.
મળેલી માહિતી મૂજબ, રાજૌરીના કાલાકોટ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીને ઘેરી લીધા હતા. જયારે સૈનિકોએ આતંકિઓની સામે સર્ચ ઓપરેશન ઝડપી બનાવ્યું છે. જંગલમાં છુપાયેલા આતંકીઓની તપાસ ઝડપી બનાવી દિધી છે. ગત રાત્રે આતંકીઓની તરફથી ગોળીબારી કરી હતી. ઘટનાસ્થળ પર સીઆરપીએફ, આર્મી, જમ્મૂ-કાશ્મીર એસઓજી ટીમ પણ હાજર છે. રાજૌરી જિલ્લાના કાલાકોટ સબ ડિવીઝનના બ્રોહ સૂમ ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચેના ઘર્ષણમાં બે પેરા કમાન્ડો સહિત સેનાના ત્રણ સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા.
- Advertisement -
#WATCH | A joint operation by the Indian Army and J&K Police was launched in the area of Kalakote. A specific intelligence about the move of some unidentified individuals was received on 1st October by J&K Police.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/M2L8AMURn4
— ANI (@ANI) October 3, 2023
- Advertisement -
અધિકારીઓએ વિગતે જણાવ્યું કે, તપાસ અભિયાન મોડી સાંજે ઘર્ષણ પરિવર્તિત થતા એ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ નાકાબંધી તોડવાની કોશીશ કરતા દળો પર ગોળીબારી શરૂ કરૂ દીધી. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરતાં બંન્ને પક્ષો વચ્ચે ગોળીબારી ચાલુ થઇ ગઇ. ભાગવાના બધા રસ્તાને બંધ કરતા ક્ષેત્રમાં વધારે સૈનિકોને મોકલવામાં આવ્યા. આતંકીઓની તપાસ માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે.
જયારે, આ પહેલા દિવસમાં નાકાબંધી અને તપાસ અભિયાન દરમ્યાન ગોળીઓની અવાજ સંભળાય રહી હતી, પરંતુ ત્યારબાદ સ્પષ્ટ હતું કે સુરક્ષાદળોએ સંદિગ્ધ આતંકવાદીઓની હાજરીની તપાસ કરવા માટે ગોળીઓ ચલાવી હતી.