ઇટાલીના રસ્તેથી પહોંચાડવામાં આવ્યું, રશિયાએ બે વખત ભારતને ફરિયાદ કરી
ખાસ-ખબર ન્યૂઝ રશિયા
યુક્રેન રશિયા સામેના યુદ્ધમાં ભારતીય દારૂગોળોનો ઉપયોગ કરી રહ્યું છે. ભારતે આ હથિયારો યુરોપિયન દેશોને વેચ્યા હતા, પરંતુ હવે યુક્રેન તેનો ઉપયોગ કરી રહ્યું છે.
રશિયાના વિરોધ છતાં ભારતે તેને રોકવાનો પ્રયાસ કર્યો નથી. 3 ભારતીય અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, રશિયાએ 2 વખત ભારતને આ અંગે ફરિયાદ કરી છે.
- Advertisement -
ભારતીય દારૂગોળો ઈટાલી અને ચેક રિપબ્લિક થઈને યુક્રેન પહોંચી રહ્યો છે. આ બંને દેશો ભારત પાસેથી મોટી માત્રામાં શેલ ખરીદે છે. છેલ્લા એક વર્ષમાં આ બંને દેશોએ ભારતીય દારૂૂગોળો યુક્રેન મોકલ્યો છે.
જુલાઈમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
રશિયા અને ભારતના સંરક્ષણ મંત્રાલયે આ સાથે જોડાયેલા પ્રશ્ર્નોના જવાબ આપ્યા નથી. જોકે, જાન્યુઆરીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભારતે યુક્રેનને આર્ટિલરી શેલ મોકલ્યા નથી કે વેચ્યા નથી.
ભારત સરકારના બે સૂત્રો અને સંરક્ષણ મંત્રાલયના બે સૂત્રોએ રોઈટર્સને જણાવ્યું હતું કે, યુક્રેન જે દારૂગોળો વાપરી રહ્યું છે તે ભારત દ્વારા ખૂબ જ ઓછી માત્રામાં બનાવવામાં આવ્યું હતું. એક અધિકારીએ અનુમાન લગાવ્યું હતું કે, યુદ્ધ શરૂ થયું ત્યારથી કિવએ ખરીદેલા દારૂગોળાના આ 1% પણ નથી. યુરોપિયન દેશોએ યુક્રેનને ભારતીય દારૂગોળો મફતમાં સહાય તરીકે આપ્યો છે કે વેચ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ હથિયારો ભારત નામની સરકારી કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે. આ કંપનીનું મુખ્યાલય નાગપુરમાં છે. આ કંપની ઓક્ટોબર 2021માં બનાવવામાં આવી હતી. ભારતે હથિયારોની નિકાસ અંગે નિયમો નક્કી કર્યા છે. તેમના મતે, જે દેશ ભારત પાસેથી શસ્ત્રો ખરીદે છે તે જ તેનો ઉપયોગ કરી શકે છે. જો હથિયારો બીજા દેશમાં મોકલવામાં આવે તો કંપની હથિયારોની ડિલિવરી રોકી શકે છે.
- Advertisement -
કિંગ્સ કોલેજ લંડનના દક્ષિણ એશિયા સુરક્ષા નિષ્ણાત વોલ્ટર લેડવિગે જણાવ્યું હતું કે યુક્રેનમાં ભારતીય દારૂૂગોળાની ઓછી માત્રા મોકલવી એ ભારત માટે ફાયદાકારક છે. આનાથી ભારતને પશ્ર્ચિમી દેશોને બતાવવાની તક મળશે કે તે રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયાની સાથે નથી અને ભારતના નિર્ણયો પર રશિયાનો કોઈ પ્રભાવ નથી.