સિનિયર સિટિઝનને આજીવન ફ્રી મુસાફરી પાસ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
- Advertisement -
રાજકોટ મનપા દ્વારા વર્ષ 2024-25ના બજેટ અનુસંધાને લેવાયેલા નિર્ણયના અનુસંધાને અમલી બનાવાયેલા ફ્રી બસ મુસાફરી યોજનામાં (21 કેટેગરી) પૈકી હવેથી ખાસ 14 કેટેગરીમાં સમાવિષ્ટ દિવ્યાંગ વ્યક્તિ સહિત મુસાફરી દરમિયાન સાથે રહેનાર સહાયક (એટેન્ડન્ટ)ને પણ વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળે તે માટે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે અમલવારી શરૂ કરાવી છે.
આ ઉપરાંત સિનિયર સિટિઝન્સને હવેથી ફ્રી મુસાફરી માટે ત્રણ વર્ષની મુદતના સ્થાને આજીવન પાસ ઇસ્યૂ કરાવાશે. સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના 21 કેટેગરી પૈકીની વિશિષ્ટ 14 કેટેગરીમાં સમાવેશ થયેલા દિવ્યાંગોને ફ્રી મુસાફરી ઉપરાંત મુસાફરી દરમિયાન તેમની સાથે રહેનાર એક સહાયકને પણ બસમાં ફ્રી મુસાફરીનો લાભ મળવાપાત્ર થાય તે માટે તાકીદે અમલવારી શરૂ કરાવી છે.