‘પેંગોલિન કોરોના વાયરસ’ માનવીઓને પણ અસર કરી શકે
ખાસ-ખબર સંવાદદાતા
હાલ ચીન કોવિડ જેવા નવા જીવલેણ વાયરસ પર પ્રયોગ કરી રહ્યું છે. આ વાયરસ ઉંદરો માટે 100 ટકા ઘાતક છે. એવી આશંકા છે કે આ વાયરસ માનવીઓને પણ અસર કરી શકે છે. એક અખબારે એવો દાવો કર્યો છે કે ચીની સેનાના નિષ્ણાંત ડોકટરોએ ’પેંગોલિન કોરોના વાયરસ’ નું પોતાનું સ્વરૂપ બનાવ્યું છે. ઉંદરો પર તેની શું અસર થાય તે જોવા તેમણે એક પ્રયોગ કર્યો.
ચીની સેનાના નિષ્ણાંત ડોકટરોની ટીમે ઉંદરો પર પેંગોલિન કોરોના વાયરસ વેરિયન્ટનો પ્રયોગ કર્યો. તેણે પેંગોલિન કોરોના વાયરસ ઉંદરોને કેવી રીતે અસર કરે છે તે જોવા માટે ચાર ઉંદરોને સક્રિય વાયરસનો ડોઝ આપ્યો અને તેની સાથે અન્ય ચાર ઉંદરોને રાખવામાં આવ્યા. તેઓએ જોયું કે 7-8 દિવસમાં, તંદુરસ્ત ઉંદરો ચેપગ્રસ્ત ઉંદરોના સંપર્કમાં આવ્યા પછી ચેપનો શિકાર બન્યા હતા. તે પછી, ડોકટરોએ શોધી કાઢ્યું કે સંપૂર્ણ રીતે સંક્રમિત થયા પછી, પાંચ દિવસમાં તમામ ઉંદરોના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો. તેની આંખો સફેદ થઈ ગઈ અને આખરે તે મૃત્યુ પામ્યા.
સંશોધકોએ જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ અંતિમ તબક્કામાં મગજમાં ચેપ લાગવાની સાથે સંકળાયેલું છે. આ વાયરસ માત્ર ઉંદરના શરીરમાં જ ફેલાતો નથી પણ મગજ, આંખો અને ફેફસાં જેવા મહત્વપૂર્ણ અંગોને પણ અસર કરે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, અમારી જાણકારી મુજબ, આ પહેલો રિપોર્ટ છે કે પેંગોલિન જઅછજ-ઈજ્ઞટ-2 સાથે સંબંધિત છે. કોરોના વાયરસ વઅઈઊ2 ઉંદરોમાં 100% મૃત્યુનું કારણ બની શકે છે, જે ૠડઙ2ટ માનવોમાં પણ ફેલાવાનું જોખમ રહેલું છે.