અરૂણાચલને ખુદનો ‘જાંગનાન’ પ્રદેશ ગણાવતા ચીને ભારતના રાજયોના 11 ક્ષેત્રોને ચાઈનીઝ-તિબેટીયન નામ આપ્યા: બે ભૂમિક્ષેત્ર, બે આવાસીય, પાંચ પર્વત અને બે નદીઓના નામ સાથે ચેડા
ભારત સાથેની મેકમોહન રેખા સહિતની આંતરરાષ્ટ્રીય સરહદો પર અરુણાચલ પ્રદેશ સહિતના ભારતના અનેક વિસ્તારો પર પોતાનો દાવો કરી રહેલા ચીને હવે ભારતના આ રાજયના વધુ 11 સ્થાનોના નામ બદલીને તેને ચાઈનીઝ નામ આપ્યા છે. ચીન અરૂણાચલ પ્રદેશને ખુદનો હિસ્સે ગણાવશે તેને ‘જાંગનાન’ તરીક ઓળખે છે અને તે આ પ્રદેશમાં ભારતીય નેતૃત્વની મુલાકાતો પર પણ સતાવાર વિરોધ કરે છે તો હાલમાં જ જી-20 દેશોની બેઠક જે ભારતે અરુણાચલમાં યોજી હતી તેમાં પણ ચીનના પ્રતિનિધિ હાજર રહ્યા ન હતા.
- Advertisement -
ભારત સામે અરુણાચલ સહિતના મુદે સતત ઉશ્કેરણીજનક વલણ અપનાવી રહેલા ચીન હવે અરુણાચલ પ્રદેશના વધુ 11 ક્ષેત્રના નામે પક્ષની તિબ્બતી અને પિનયિંગ ક્ષેત્રના નામો તરીકે જાહેર કર્યા છે. અગાઉ પણ ચીન અરુણાચલ પ્રદેશના અનેક ક્ષેત્રોના ‘નામ’ બદલી નાખ્યા હતા તો ચીનના સતાવાર સાયબર ગ્લોબલ ટાઈમ્સે
હવે આ નવા 11 નામોની જાહેરાત કરતા અગાઉ 2017માં ચીને છ સ્થાનોના નામ બદલ્યા હતા અને 2021માં વધુ 15 સ્થાનોના નામ પણ બદલ્યા હતા. ભારતે અગાઉ આ આ નામો બદલવાના ચીનના વલણને ફગાવીને અરુણાચલ પ્રદેશ ભારતનો સતાવાર હિસ્સો હોવાનું પુનરોચ્ચાર કર્યો હતો અને ચીન નામ બદલીને તેના પર દાવો કરે તે મુદો કોઈ અર્થ ધરાવતો નથી. 2017માં તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાએ અરુણાચલમાં પ્રથમ વખત મુલાકાત લીધી અને તેને ભારતના પ્રદેશ તરીકે સમર્થન આપ્યુ તે પછી ચીન વધુ ઉશ્કેરાયુ છે.