દિલ્હી ખાતે નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સીંલની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સીંલની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા.આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં વિકાસમાં રોલ મોડેલ તરીકેનું ગુજરાતનું સ્થાન યથાવત જાળવીની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને રાજ્યની પ્રભાવક વિકાસ ગાથા પ્રસ્તુત કરી હતી.
- Advertisement -
યોજનાઑને પગલે રાજ્ય વિકાસની નવી ઊંચાઇ આંબી છે : ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીએ સુશાસન, શહેરી વિકાસ અને કૃષિ વિકાસ તથા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ અને અગ્રેસરતાનું વિવરણ બેઠકમાં ઉપસ્થિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના સદસ્યો સમક્ષ કર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારત સરકારે બહાર પાડેલા ગુડ ગર્વનન્સ ઇન્ડેક્ષ, લોજીસ્ટીક પરફોર્મન્સ ઇન્ડેક્ષ, સ્ટેટ એનર્જી એન્ડ ક્લાયમેટ ઇન્ડેક્ષ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ તેમજ સસ્ટેઇનેબલ ગોલ ઇન્ડીયા ઇન્ડેક્ષ 3.0 ની વિવિધ કેટેગરીમાં ગુજરાતે પ્રથમ સ્થાન અંકિત કર્યુ છે. પ્રધાનમંત્રીના સતત માર્ગદર્શનમાં ગુજરાતે ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, 30 ગીગાવોટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, ધોલેરા SIR અને સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવી અનેક મહત્વાકાંક્ષી યોજનાઓથી વિકાસની નવી ઊંચાઇ આંબી છે.
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની બેઠકમાં સહભાગી થઇને કૃષિ, શિક્ષણ, શહેરી વિકાસ સહિતના ક્ષેત્રોમાં ગુજરાતના વિકાસની રૂપરેખા આપી અને સુશાસનના રોલ મોડેલ તરીકે ગુજરાતને અગ્રેસર રાખવાની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી. pic.twitter.com/rcdezTgtvo
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 7, 2022
- Advertisement -
900થી વધુ ટાઉન પ્લાનીંગ સ્કીમનું કામ પૂર્ણ
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં શહેરીકરણ-અર્બન સેક્ટરની પહેલ રૂપ બાબતો અને સિદ્ધિઓ વર્ણવતા કહ્યું કે, વડાપ્રધાનએ ગુજરાતના શહેરોને વર્લ્ડક્લાસ સિટીઝ બનાવવાનું જે સપનું જોયુ હતું તેને સાકાર કરવા અમે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીયે.રાજ્યના શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે ત્રિસ્તરીય શહેરી વિકાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ રજુ કરી હતી.મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ત્રિસ્તરીય રોડમેપ અંતર્ગત રાજ્ય સરકાર શહેરોના ડેવલપમેન્ટ પ્લાન, ટાઉન પ્લાનિંગ સ્કીમ અને સ્થાનિક વિસ્તાર વિકાસ આયોજન પારદર્શીતાથી ઘડીને કાર્યરત કરે છે. ગુજરાતમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ લોકોની સહમતિ અને જનભાગીદારીથી બનાવવામાં આવે છે.ગુજરાતમાં 900થી વધુ ટાઉન પ્લાનીંગ સ્કીમનું કામ પૂર્ણ થઇ ગયું છે તેમ પણ તેમણે ગૌરવપૂર્વક ઉમેર્યુ હતું.
59,000 આવાસોનું નિર્માણ કાર્ય ઝડપભેર હાથ ધરાયું
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શહેરોમાં સ્લમ રિ-ડેવલપમેન્ટને પણ પ્રાથમિકતા આપીને રાજ્ય સરકારે 166 સ્લમ્સમાં 59,000 આવાસોનું નિર્માણ કાર્ય ઝડપભેર હાથ ધર્યુ છે અને 7800 યુનિટનું રિ-ડેવલપમેન્ટ કામ પુરૂં થઇ ગયું છે વધુમાં ગુજરાત આજે કૃષિ ક્ષેત્રના વિકાસ સાથોસાથ પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં પણ દેશના અગ્રેસર રાજ્યો પૈકીનું એક છે.રાજ્યમાં પાછલા બે દશકમાં બાગાયત વિસ્તાર 300 ટકા વધીને 4.80 લાખ હેક્ટરમાંથી 20 લાખ હેક્ટરે પહોચ્યો છે તેમજ દાળની ખેતીનો વિસ્તાર 65 ટકા વધ્યો છે તેની વિગતો આપી હતી.
નવી દિલ્હીમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથેની મુલાકાત ખૂબ ઊર્જાસભર બની રહી.
ગુજરાતે 'આઝાદીના અમૃત મહોત્સવ'ની ઉજવણી અંતર્ગત આગામી 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન #HarGharTiranga અભિયાનનું ઉત્સાહભેર આયોજન કર્યું છે તેની જાણકારી માન. પ્રધાનમંત્રીશ્રીને આપી. pic.twitter.com/9GvdX0NwXj
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 7, 2022
સાડા પાંચ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જાગૃત કરવામાં આવ્યા
આ અંગે તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વિષયે વિવિધ સ્તરે જન જાગૃતિ કાર્યક્રમો યોજીને અત્યાર સુધીમાં સાડા પાંચ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જાગૃત કરવામાં આવ્યા છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઝમાં અભ્યાસક્રમમાં પ્રાકૃતિક કૃષિ વિષય દાખલ કરવામાં આવ્યો છે અને આ વર્ષથી તેનો સમાવેશ કૃષિ યુનિવર્સિટી અભ્યાસમાં કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બિગ ડેટા એનાલિસીસ જેવી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું દેશનું પહેલું નેશનલ ડિજીટલ એજ્યુકેશન આર્કિટેકચર ગુજરાતમાં હોવાનો ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.