ડિસેમ્બર સુધી કચ્છના બન્નીમાં આવી જશે, વહીવટી મંજૂરી મળ્યા બાદ પૂરજોશમાં તૈયારી હાથ ધરાઈ
નામિબિયા અથવા દક્ષિણ આફ્રિકાથી 10 ચિત્તા હવાઈમાર્ગે કચ્છના બન્ની આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કચ્છમાં 152 વર્ષ બાદ અને ગુજરાતમાં 84 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી થઇ રહી છે, બન્નીના ઘાસીયામેદાનમાં આ પ્રોજેક્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કુનો બાદ કચ્છ દેશમાં ચિત્તાનું બીજું ઘર બનશે. ડિસેમ્બર 2024 સુધી અહીં 10 ચિત્તાઓને હવાઈમાર્ગે કચ્છમાં લાવવામાં આવશે.
1952માં દેશમાં ચિત્તાને વિલુપ્ત પ્રાણી જાહેર કરી દેવાયું હતું, ગુજરાતમાં છેલ્લે વિસાવદરમાં વર્ષ 1940માં ચિત્તાની હાજરી નોંધાઈ છે. જો કે કચ્છમાં 1839 અને 1872માં ચિત્તાનો રેકોર્ડ નોંધાયેલો છે. કચ્છના ઘાસીયામેદાનમાં 152 વર્ષ બાદ ચિત્તાઓ વિચરતા જોવા મળશે. 500 હેક્ટરના વિસ્તારમાં એન્ક્લોઝર બનાવી તેમાં ચિત્તાને રાખવામાં આવશે. આ સંવર્ધન કેન્દ્રમાં 8 ક્વોરેન્ટાઇન બોમા બનાવવામાં આવશે અને 8 સોફ્ટ રિલીઝ બોમા બનાવશે. 50 દિવસ સુધી અહીં લવાયેલા ચિત્તાને ક્વોરેન્ટાઇન રાખવામાં આવશે બાદમાં ત્યાં જ અંદર સોફ્ટ રિલીઝ કરશે. 4 મીટરની ઊંચાઈવાળા એન્ક્લોઝરમાં ચિત્તા પર વનવિભાગનો સ્ટાફ સતત નજર રાખશે. ચોકીદાર, ટ્રેકર અને પશુ ડોક્ટર સહીત સ્ટાફ અહીં મોનીટરીંગ માટે મૂકવામાં આવશે. રેડિયોકોલર ટેગ લગાવી વન્યજીવની હલચલ પર પળેપળની નજર રહેશે. સુવ્યવસ્થિત સંચાલન માટે ટૂંક સમયમાં એસીએફ, આરએફઓ, વનપાલ અને વનરક્ષક સહિતના સ્ટાફને મુલાકાત માટે કુનો મોકલવામાં આવશે. વધારના અલાયદા સ્ટાફ માટે કચ્છ વર્તુળ દ્વારા સરકારમાં દરખાસ્ત પણ મોકલી દેવામાં આવી છે. રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન એન. શ્રીવાસ્તવે જણાવ્યું કે, હાલ કેન્દ્ર સરકારમાંથી તમામ મંજૂરી મળી ગઈ છે. અમે કુનો જઈને નોલેજ શેરિંગ પણ કરી આવ્યા છીએ. ડિસેમ્બર 2024 સુધીમાં ગુજરાતમાં ચિત્તા આવી જશે.
- Advertisement -
મધ્યપ્રદેશથી બન્નીનું ઘાસિયું મેદાન અનૂકૂળ દેશમાં ચિત્તાને પુન:સ્થાપિત કરવા 2022માં નામિબિયાથી આઠ ચિત્તા લવાયા બાદ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા છે. કુનોની સરખામણીએ બન્નીનું ઘાસિયુંમેદાન આફ્રિકાના વિશ્વપ્રખ્યાત સવાના ઘાસિયામેદાન જેવું છે. એટલે ચિત્તાને વધુ અનૂકૂળ આવશે. હાલ અહીં મીઠા વૃક્ષોનું વાવેતર પણ કરી દેવાયું છે. ગઝઈઅ ના ઉચ્ચ અધિકારી ગોવિંદ ભારદ્વાજે પણ તાજેતરમાં બન્નીની મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. ચિત્તા માટે અહીં ચિંકારા બ્રીડીંગ સેન્ટર પણ બનાવાયું છે, તો તેમને ગરમી ન થાય તે માટે શેડની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમ સીસીએફ સંદીપ કુમારે જણાવ્યું હતું.
બંધ પાંજરામાં તેનો ઉછેર હોતા સ્થાનિક ઢોર કે પશુપાલકોને કોઈ જ તકલીફ પણ નહિ પડે.