સરકારી જમીનમાં લીંબુનું વાવેતર કરી નાખવામાં આવતા ડિમોલિશન કરીને 4200 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ચાંચાપર ગામે ગરીબોને ઘરથાળ માટે ફાળવવાની જમીન ઉપર દબાણ કરી લીંબુનું વાવેતર કરી નાખવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિમોલિશન કરીને 4200 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
મોરબી તાલુકાના ચાંચાપર ગામે જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના માગ્ર્દર્શન હેઠળ મહેસુલ વિભાગના નાયબ મામલતદાર (દબાણ), રેવન્યુ તલાટી તથા જિલ્લા પંચાયત તળેના તલાટી કમ મંત્રી તેમજ ચાંચાપર ગામના સરપંચ અને ઉપસરપંચની ટીમ દ્વારા ચાંચાપર ગામે ઘર વિહોણા લાભાર્થીઓ માટે સ.નં. 29 પૈ. મા 100 ચો.વાર. ના પ્લોટના લાભાર્થીઓ માટે ગામતળ નીમ કરવા માટે દરખાસ્ત કરેલ સવલતવાળી જમીનની બાજુની જમીનમાં સ.નં.8 પૈકીના ખાતેદાર ત્રિભોવનભાઇ મોરભાઇ પટેલ તથા અલ્પેશભાઇ ભુદરભાઇ હોથી દ્વારા લીંબૂના ઝાડનું વાવેતર, આગળની બાજુ ફેંસીંગ તેમજ પાછળની બાજુ પાકી દિવાલ કરી કરેલુ આશરે 4200 ચો.મી. નું દબાણ દુર કરવામા આવ્યું હતું અને જિલ્લા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ આ જગ્યામા ટુંક સમયમાં 100 ચો.વાર માટે લાયકાત ધરાવતા ઘર વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ફાળવવાની કામગીરી હાથ ધરવામા આવશે.